Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ત્રણનો ધ્યાનમાં ઉપયોગ છે. જીવ; પોતાથી ઈતર શરીરાદિથી ભિન્ન છે. શરીરાદિનો ભેદ જીવમાં છે. શરીરાદિ ભેદના પ્રતિયોગી(જેનો ભેદ હોય તે ભેદના પ્રતિયોગી) છે. અને તે ભેદનું પ્રતિયોગિત્વ શરીરાદિમાં છે. તે સ્વરૂપે શરીરાદિ ધ્યાનના ભાવ્ય બને છે. અનાદિકાળથી શરીરમાં જીવ અધિષ્ઠિત હોવાથી એ નિરંતર સહવાસથી જીવનું આત્મત્વ શરીરમાં(બાહ્યાત્મામાં) પ્રતીત થતું આવેલું પરંતુ તે અતાત્ત્વિક પરિણામ છે. જીવનું જીવત્વ(આત્મત્વ) તાત્ત્વિક છે. કારણ કે ધ્યાતા એવા જીવમાં(અંતરઙ્ગ આત્મામાં) આત્મત્વ વાસ્તવિક છે. જીવનું સ્વરૂપ અને પરમાત્માનું સ્વરૂપ એક જ છે. આ રીતે ધ્યાનમાં અતાત્ત્વિક, તાત્ત્વિક અને એકત્વ(એકસ્વરૂ પત્ન) પરિણામને લઈને અનુક્રમે ત્રણેય આત્માનું સન્નિધાન સમાપત્તિસ્વરૂપ ધ્યાનમાં હોય છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ માટે તેનો(અતાત્ત્વિક પરિણામનો) વિચાર કરવો પડે છે. અતાત્ત્વિક પરિણામની નિવૃત્તિ થયે છતે તાત્ત્વિક પરિણામનો ઉપલંભ-સાક્ષાત્કાર થાય છે અને એ જ સમાપત્તિ છે... ઈત્યાદિ વિચારવું જોઈએ. 8 8 8 બીજાઓના મતે બાહ્યાત્માદિ ત્રણ આત્માનું સ્વરૂપ જણાવાય છે 1120-9011 अन्ये मिथ्यात्वसम्यक्त्वकेवलज्ञानभागिनः । मिश्रे च क्षीणमोहे च, विश्रान्तास्ते त्वयोगिनि ।।२०- १८ ।। ૨૮

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62