________________
અયોગીકેવલી અવસ્થાભાવી. એમાં પ્રથમ અસપ્રજ્ઞાતસમાધિ, વિકલ્પાત્મક જ્ઞાનસ્વરૂપ મનોવૃત્તિઓના અને તેના બીજભૂત જ્ઞાનાવરણાદિના ઉદયના નિરોધથી ઉત્પન્ન થાય છે અને બીજો તો સર્વ કાયાદિવૃત્તિઓના અને તેના બીજભૂત ઔદારિકાદિ શરીરરૂપ વૃત્તિબીજોના આત્યન્તિક ઉચ્છેદથી ઉત્પન્ન થાય છે.
આ સમાધિનું જ બીજું નામ છે ધર્મમેઘ. યાવત્ તત્ત્વની ભાવના વડે ફળની ઈચ્છાથી રહિત થઈને સર્વથા વિવેકખ્યાતિને(પ્રકૃત્યાદિથી ભિન્નપણાના જ્ઞાનને) પ્રાપ્ત કરેલ યોગી અશુક્લકૃષ્ણ ધર્મને સિચે છે તેથી તેને ધર્મમેઘ એવી સમાધિ કહેવાય છે. થી મેતિ-રિતિ-આ 'ઘર'ની વ્યુત્પત્તિ છે. સામાન્ય રીતે શુક્લકર્મ, કૃષ્ણકર્મ, શુકલકૃષ્ણકર્મ અને અશુક્લકૃષ્ણકર્મ-એમ ચાર પ્રકારનાં કર્મ છે. એમાં તમોગુણમૂલક તથા દુઃખરૂપ ફળને આપનારાં બ્રહ્મહત્યાદિસ્વરૂપ દુરાત્માઓનાં કર્મ કૃષ્ણકર્મ છે. સત્ત્વમૂલક અને સુખને આપનારાં તપ સ્વાધ્યાય વગેરે કર્મ શુલકર્મ છે. જે કર્મો રજોગુણમૂલક હોવાથી પુણ્ય પાપના જનક અને દુઃખમિશ્રિત સુખસ્વરૂપ ફળને આપનારાં છે તે યજ્ઞયાગાદિ કર્મ શુકલકૃષ્ણકર્મ છે અને જે કર્મો સુખદુઃખાદિનાં જનક નથી તે સમ્પ્રજ્ઞાતસમાધિ વગેરે કર્મો અશુક્લકૃષ્ણ કર્મ છે. (અશુક્લકૃષ્ણ-અશુકલાકૃષ્ણ કર્મ છે.) “સંપ્રયાનેડથીટચ સર્વથા વિવેહયાત થઈમેષ: સમાધિ: I૪-રા”આ યોગસૂત્રથી પણ ઉપર જણાવેલી વાત જણાવી છે કે ‘વિવેકજ્ઞાનમાં પણ ફળની ઈચ્છાને ન રાખનાર યોગીને વિવેકખ્યાતિને લઈને ધર્મમેઘ-સમાધિ હોય છે.'