Book Title: Yogavatar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ચિસ્કૃતિનું પ્રાધાન્ય હોય છે અને સત્ત્વનું અપ્રાધાન્ય (ગૌણત્વો હોય છે.” આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અસ્મિતાનુગતસમાધિમાં સાધક સત્ત્વનું પરિભાવન કરે છે. રજોગુણ અને તમોગુણનો લેશ પણ તેમાં ન હોવાથી શુદ્ધસત્ત્વનું અહીં પરિભાવન હોય છે. ગ્રાહ્ય અને ગ્રહણ વિષયથી અનનુગત આ યોગમાં માત્ર ગ્રહીતુ વિષય હોય છે. અહટ્ટાર, પ્રકૃતિ અને અહટ્ટારોપાધિક પુરુષથી અનુગત આ સમાધિને સાસ્મિત એટલે કે અસ્મિતાનુગતસમાધિ કહેવાય છે. પૂર્વ પૂર્વ સમાધિમાં ઉત્તર ઉત્તર સમાધિનો વિષય અનુગત હોય છે. પરંતુ ઉત્તરોત્તર સમાધિમાં પૂર્વપૂર્વ સમાધિનો વિષય અનુગત હોતો નથી. સ્થૂલ ગ્રાહ્ય, સૂક્ષ્મગ્રાહ્ય, ગ્રહણ અને ગ્રહીતુ : આ ચાર વિષયથી અનુગત વિતર્કસમ્પ્રજ્ઞાતયોગ છે. ત્યાર પછી પૂર્વપૂર્ણવિષયથી અનનુગત ઉત્તરોત્તર ત્રણ બે અને એક વિષયથી અનુગત અનુક્રમે વિચાર, આનંદ અને અસ્મિતાથી અન્વિત સપ્રજ્ઞાતયોગ હોય છે... ઈત્યાદિ પાતગ્રલયોગસૂત્રના અનુસંધાનથી સમજી લેવું જોઈએ. સમાધિની વિશિષ્ટતા તેના વિષયની સૂક્ષ્મતાને લઈને છેએ સમજી શકાય છે. અસ્મિતાનુગતસમાધિમાં ચિન્શક્તિ(દશક્તિ, પુરુષ, આત્મા) મુખ્ય છે અને શુદ્ધસત્વ ગૌણ છે. ભાવ્ય(ધ્યેય) શુદ્ધસત્વ ગૌણ થવાથી અને ચિત્નતિની ઉદ્દિફત અવસ્થાના કારણે ભાવ્યના બીજા કોઈ પણ ધર્મની ભાવનાને છોડીને માત્ર સત્તાનો પ્રતિભાસ હોવાથી આ સમાધિમાં સાસ્મિતત્વ(અસ્મિતા) સદ્ગત બને છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62