________________
અને તેના આવરણનો વિગમ થવો ખૂબ જ આવશ્યક છે. રજોગુણ અને તમોગુણના તિરોધાનથી (આચ્છાદનથી) ચિત્ત સર્વપ્રધાન બને છે અને તેથી કલેશ અને વાસનાથી રહિત એવું ચિત્ત ઉત્તરોત્તર અધિકાધિક સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે.
આ અધ્યાત્મની પ્રાપ્તિથી યોગી જનોને ઋતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. જે પ્રજ્ઞા(બુદ્ધિ) સદાને માટે સત્યને જ ધારણ કરે છે, તે પ્રજ્ઞાને ઋતંભરા પ્રજ્ઞા કહેવાય છે, ક્યારે પણ એ પ્રજ્ઞા વિપર્યયથી આચ્છાદિત થતી નથી. આગમ અને અનુમાનથી સામાન્ય વિષયનું જ જ્ઞાન થાય છે. તેની અપેક્ષાએ આ પ્રજ્ઞાથી વિશેષ વિષયનું જ્ઞાન થતું હોવાથી મૃત અને અનુમિતિથી આ ઋતંભરા પ્રજ્ઞા અધિક છે. યોગસૂત્રના “તમ તત્ર પ્રજ્ઞા છે ?-૪ટા” અને “શ્રતાનુમાનપજ્ઞખ્યામન્યવિષય વિશેષાર્થત્યાત્ ?૪૨ા” આ બંન્ને સૂત્રોનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. આગમ(શબ્દ)થી તે તે પદાર્થોનો જે બોધ થાય છે તે સામાન્યથી જ થાય છે. કારણ કે તે તે શબ્દ તે તે અર્થને સામાન્યથી જ જણાવવા માટે સમર્થ છે. શબ્દ સ્વવાચ્યાર્થીને જ જણાવવા સમર્થ છે. અનુમાનથી પણ ધૂમાદિ લિના કારણે થનારું અગ્નિ વગેરેનું સામાન્યથી જ જ્ઞાન થાય છે. ઋતમ્બરા પ્રજ્ઞા તો વિશેષરૂપથી પ્રકૃતિ વગેરે અનાત્મ સૂક્ષ્મ પદાર્થોને અને પુરુષગત વિશેષને પણ ગ્રહણ કરી લે છે તેથી મૃત અને અનુમિતિની અપેક્ષાએ તે અધિક છે. ૨૦-૧૨ા.
છું !