Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ૫. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા હવે આત્મા અંગેનું આધુનિક વિજ્ઞાનનું મંતવ્ય તપાસીએ એક સમય તો એવો હતો કે લગભગ બધા વૈજ્ઞાનિકો આત્મા જેવી દેહથી અતિરિક્ત કોઈ ચેતના માનવા તૈયાર જ ન હતા. વૈજ્ઞાનિક સંશોધનો માત્ર પરમાણુ વગેરે જડ પદાર્થોને અનુલક્ષીને જ રહેતાં અને તેથી જડના આવિષ્કારોની બાબતમાં વિજ્ઞાને સાચે જ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું ખેડાણ કરી નાંખ્યું છે. પરંતુ હવે કેટલાંક વૈજ્ઞાનિકો આત્મા અંગે પણ કંઈક ચિંતન કરવા લાગ્યા છે અને તેઓ દેહથી ભિન્ન, દેહમાં રહેનારી એવી કોઈ ચેતનાની કલ્પના તો જરૂર કરે છે. પાશ્ચાત્ય જગતનો પ્રથમ દાર્શનિક પ્લેટો કહે છે કે સંસારના તમામ પદાર્થો દ્વંદ્વાત્મક છે. એટલે જીવનની પછી મૃત્યુ અને મૃત્યુની પછી જીવન અનિવાર્ય છે. (જુઓ પાશ્ચાત્ય દર્શનોને ઈતિહાસ) આ જ રીતે ‘સુકારાત’ ‘અરસ્તે' આદિ દાર્શનિક વિદ્વાનોની નિષ્ઠા પણ પુનર્જન્મના સિદ્ધાંતમાં રહેલી જાણવા મળે છે. આ તો દાર્શનિકોની દુનિયાની વાત થઈ. હવે વૈજ્ઞાનિકોની દુનિયામાં નજર નાંખીએ. (૧) આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે, “હું જાણું છું કે સમગ્ર પ્રકૃતિમાં ચેતનાતત્ત્વ કામ કરી રહ્યું છે.” (૨) સર એ. એસ. એડિંગ્ટન કહે છે કે, “કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે તે શું છે ? હું ચૈતન્યને મુખ્ય માનું છું. અને ભૌતિક પદાર્થને ગૌણ માનું છું. જરીપુરાણો નાસ્તિકવાદ હવે ચાલ્યો ગયો છે. ધર્મ એ આત્મા અને મનનો વિષય છે અને તે કોઈપણ I beleive that intelligence is manifested throughout all nature. - The Modern Review of Colcutta, July, 1936. higher were enginee ૪૧ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા પ્રકારે દૂર કરી શકાય તેમ નથી.’૧ (૩) “મિસ્ટિરિયસ યુનિવર્સ' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે કે આજકાલ એ વાત સ્વીકારવાનો વિસ્તૃત માપદંડ પ્રસ્તુત થયો છે કે, “હવે જ્ઞાનની સરિતા અયાન્ત્રિક વાસ્તવિકતાની તરફ વહેવા લાગી ગઈ છે. યંત્ર કરતાં વિચારની અધિક સમીપમાં આજનું વિશ્વ જણાય છે. મને હવે એવી કોઈ ચીજ નથી જણાતી જે જડની દુનિયામાં ક્યાંકથી અકસ્માત્ ટપકી પડી હોય.’૨ (૪) હર્બર્ટ સ્પેન્સર કહે છે કે “ગુરુ યા ધર્મગુરુ, ખૂબજ સારા પ્રાચીન કે અર્વાચીન દાર્શનિક, પશ્ચિમના હોય કે પૂર્વના-બધાએ એવો અનુભવ કર્યો છે કે તે અજ્ઞાત અથવા અજ્ઞેય તત્ત્વ પોતે જ છે. ૩ (૫) “ધ ગ્રેટ ડિઝાઈન’” નામના પુસ્તકમાં સર. જે. એમ. થોમસન કહે છે કે “સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં એવી એક પ્રક્રિયા થઈ રહી છે કે જે મન સાથે કોઈ સંબંધ રાખે છે. નાનામાં નાના ‘અમીબા’થી લઈને એક આન્તરિક અને વૈજ્ઞાનિક જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્યાંક એ સ્ત્રોત પાતળો છે તો ક્યાંક બળવાન. ભાવના, કલ્પના અને હેતુ એ બધી પ્રવૃત્તિઓ એની ૧. Something unknown is doing we do not know what ? I regard consciousness as fundamental. I regard matter as derivative from consciousness. The old atheism is gone. Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. The Modern Review of Colcutta, July, 1936. 2. Today there is a wide measure of agreement that the stream of knowledge is heading towards a non-mechanical reality. The Universe begins to look more like a great thought then like a great machine. Mind no longer appears as an acidental itntruder into the realam of mother. – Mvsterious Universe, p. 137 3. The teachers and founders of the religion have all taught and many philosophers ancient and modern, western and eastern have perceived that this unkown and unknoable is our very self. – First Principles, 1900 ********** તા, આ this! વિજ્ઞાન અને ધર્મ ૪૨

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182