Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ “ભારતની એક સર્વોચ્ચ શક્તિરૂપે ઉન્નતિ થઈ જશે, પરંતુ એને માટે તેને ઘણાં કઠોર સંઘર્ષો કરવા પડશે. એ દેશમાં એક દેવદૂત આવશે. તે હજારો નાના નાના લોકોને એકઠા કરીને તેઓમાં એટલી બધી હિંમત ઉત્પન્ન કરી દેશે, કે એ જ નાના નાના લોકો પ્રબળ જણાતા ભૌતિકવાદીઓ સાથે ભિડાઈ જશે અને તેમની માન્યતાઓને મિથ્યા પુરવાર કરી બતાવશે. સખતે સંઘર્ષ વચ્ચે જ માનવીય સદ્ગણોનો વિકાસ ચિરસ્થાયી બનશે. એના લક્ષણો સન ૨000 સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ત્યાર પછીનો સંસાર પ્રેમ, દયા, કરૂણા, ઈમનદારી, પરોપકારી અને ભાઈચારાને. સંસાર હશે.' - પરમહંસ રાજનારાયણ શ્રી. પટશાસ્ત્રીએ જાહેર કર્યું છે :- નજીકના ભવિષ્યમાં એક ભારે ધાર્મિક ક્રાંતિ થશે અને એનાથી સંસારને નવો દૃષ્ટિકોણ મળશે. જીવનપદ્ધતિમાં આજે ભૌતિકવાદી માન્યતાઓને જે સ્થાન મળ્યું છે એ મૂળમાંથી ઊખડી જ રહેશે. પટણાની “ખુદાબક્ષ ઓરિએન્ટલ લાયબ્રેરી” માં ફારસી કવિતાનું ઘણું જૂનું પુસ્તક છે, કે જે બુખારાના સુપ્રસિદ્ધ સંત શાહ નિયામત ઉલ્લા વલી સાહેબનું લખેલું છે. શ્રી વલી સાહેબની ખ્યાતિ જેટલી એક સંત અને ઈશ્વર-ભક્તરૂપે છે, એનાથી વધારે એક ભવિષ્યવક્તા રૂપે છે. આ પુસ્તકમાં તેમણે લખ્યું- ‘જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થશે.' (૧૯૦૪માં જાપાન અને રસિયા વચ્ચે યુદ્ધ થયું પણ ખરું) “જાપાનમાં ભયંકર ધરતીકંપ થશે.' (૧૯૨૩માં ધરતીકંપ થયો) પહેલા વિશ્વયુદ્ધમાં અલફ (અંગ્રેજો) અને જીમ (જર્મની) લડશે. એમાં અંગ્રેજો જીતશે પરંતુ યુદ્ધમાં એક કરોડ એકત્રીસ લાખ વ્યક્તિઓ મરી જશે.” (બ્રિટિશ કમિશનના રિપોર્ટ પ્રમાણે ખરેખર એ યુદ્ધમાં એક કરોડ અને ત્રીસ લાખ માણસોનાં મૃત્યુનું વર્ણન આપવામાં આવ્યું છે,) “બેજીમ (જર્મની બે ભાગમાં વહેંચાઈ ગયું) પરસ્પર સંગ પરિસ્થિતિમાં આવી જશે.” બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બ ફાટવાની તેમની વાત પણ સાચી નીકળી. આ રીતે તેમની એક પણ આગાહી ખોટી ન પડી. ભારતનાં સંબંધમાં વલી સાહેબ લખે છે- “મુસલમાનોના હાથમાંથી આ દેશ વિદેશીઓના હાથમાં જતો રહેશે. પછી હિન્દુઓ અને મુસલમાનો ભેગા મળીને વિદેશીઓના વિરૂદ્ધમાં લડાઈ લડશે, વિદેશીઓ અહીંથી ચાલ્યા તો જશે, પરંતુ હિન્દુસ્તાનને બે ટુકડાઓમાં વહેંચતા જશે. બંને બે દેશ બની જશે અને તેમની વચ્ચે શત્રુતા એટલી બધી વધી જશે કે બંને વચ્ચે યુદ્ધનું તંગ વાતાવરણ રહ્યા કરશે. આ પ્રમાણે જયાં સુધી હિન્દુસ્તાનનો મુસલમાની ભૂભાગ પૂરી રીતે પરાજય નહીં મેળવે ત્યાં સુધી રહ્યાં કરશે. રામન સ્વામી અય્યર કલ્કિ પુરાણ અને મહાભારત વગેરેમાં નિષ્કલંક અથવા કલ્કિ અવતારનો જે સમય આપવામાં આવ્યો છે, એ પણ અત્યારના સમયને જ લાગુ પડે છે. આ બંને સંભાવનાઓને એકજ સ્થાન પર મળતી જોઈને અમેરિકન અધ્યાત્મિકવાદીઓની આ સંદર્ભમાં રૂચિ વધી એને પરિણામે ત્યાં “કલ્કિ અવતાર'ની શોધને માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. એક અમેરિકન છાત્રએ એને પોતાની શોધનો વિષય બનાવ્યો છે. ઈંગ્લેન્ડ વગેરેમાં હિન્દુ ધર્મગ્રંથોની જે પ્રમાણસિદ્ધ નકલો મળી છે એમના પ્રમાણે આ સમિતિ માને છે કે “કલ્કિ’ જન્મ લઈ ચૂક્યા છે. ૮ ઓક્ટોબરનાં ‘અમેરિકન રિપોર્ટર’ પ્રમાણે આ સમિતિ ભારતવર્ષમાં રહીને કલ્કિ અવતારની વિસ્તૃત શોધ કરવાના અને જાણકારી પ્રાપ્ત કરવાના કાર્યમાં જોડાઈ ગઈ છે. આ યુગના દેવદૂત નિષ્કલંક અવતાર’ નામના પુસ્તકના લેખક, દક્ષિણ ભારતના જાણીતા સંત શ્રી. રામન સ્વામી અય્યરે પણ એવી જ સંભાવના વ્યક્ત કરી છે, શક્તિરૂપી ઘોડા પર સવાર થયેલા કલ્કિ પોતાના તપની તલવારથી અયોગ્ય અસુરોના માથાં કાપવામાં લાગેલા છે, જયારે તેમનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થશે ત્યારે સંસાર કાંપવા લાગશે. યુગ બદલાતાં ભારતવર્ષ વિપુલ ઉન્નતિ કરશે. તેના માર્ગદર્શનમાં સમસ્ત વિશ્વ કલ્યાણમાર્ગે ચાલશે. (૭) ગોપીનાથ ચુલેટ બરારના એક દિવ્યદર્શી વિદ્વાનું ગોપીનાથ શાસ્ત્રી સુલેટે ઘણાં be infring વાહ વાછાણી હાઈલાઈite ફાઈngs Bang=ણ ચાણસાઈના શાશા પા થી થયાશાઈ શage શાળાનાથ શne વાલા-થાથી ૩૦૨ વિજ્ઞાન અને ધર્મ થી પાણી ની ભવિષ્યવાણી શigaઈ વિચાઈIS IS B Eણાઈથી ઉa Sab Tibag fight agaઈ શit થી પણaઈ થી ઊંgsળી થઈ ગઈ ૩૦૧

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182