Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 490
________________ હે દેવાનુપ્રિય ! ફરીફરીને તને પ્રાર્થના કરીએ છીએ કે-સંસારસાગરમાં સેતુસમાન નમસ્કાર પ્રત્યે તું શિથિલ (અનાદરવાળો) બનીશ નહિ. ૬૯ जं एस नमुक्कारो जम्मजरामरणदारूणसरूवे । संसारारन्नम्मी न मंदपुन्नाण संपडइ ॥ ७०॥ કારણ કે જન્મ-જરા-મરણથી વધારે ભયંકર સ્વરુપવાળા આ સંસારઅરણ્યને વિષે મંદપુણ્યવાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. ૭૦ विज्झइ राहा वि फुडं उम्मूलिज्जइ गिरी वि मूलाओ । गम्मइ गयणयलेणं, दुलहो य इमो नमुक्कारो ॥७१॥ રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે ફરવું એ દુર્લભ નથી પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે. ૭૧ सव्वत्थऽन्नत्थ विधीघणेण सरणंति एस सरियव्वो । सविसेसं पुण इत्थं समहिगयाऽऽ राहणाकाले ॥७२॥ સર્વત્ર કોઈપણ કાળે અને સ્થળે વિધિરૂપી ધનવાળા પુરુષે ‘આ જ એક શરણ છે' એમ માનીને નવકારને સ્મરવો જોઈએ, તોપણ આરાધનાકાળે-મરણસમયે તેને વિશેષે સ્મરવો જોઈએ. ૭૨ आराहणापडागागणे हत्थो इमो नमुक्कारो । सग्गापवग्गमग्मो दुग्गइदारग्गला गरूई ॥७३॥ આ નવકાર એ આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વા૨ોને રોકવા માટે મોટી અર્ગલા છે. ૭૩ पढियो गुणियो सुणियव्वो समणुपेहियव्वो य । एसऽन्नया वि निच्चं किमंग पुण मरणकालम्मि || ७४ ॥ અન્યકાળે પણ આ નવકાર નિત્ય ભણવા લાયક, ગણવા લાયક, સાંભળવા લાયક અને સારી રીતે અનુપ્રેક્ષા-ચિત્તવન ક૨વા લાયક છે, તો પછી મરણકાળ માટે તો પૂછવું જ શું ? ૭૪ गेहे जहा पलित्ते सेसं मुत्तूण लेइ तस्सामी । एगं पि महारयणं आवइनित्थारणसमत्थं ॥७५॥ आउर भएण सुहडो अमोहमिक्कं पि लेइ जह सत्थं । आबद्धभिउडिभडसंकडे रणे कज्जकरणखमं ॥७६॥ एवं न आउरते सक्का बारसविहं सुयक्खंधं । सव्यं पि विचिंतेउं सम्मं तग्गयमणोऽवि तओ ॥७७॥ मुत्तुं पि बारसंगं स एव मरणम्मि कीरए सम्मं । पंचनमुक्कारो खलु जम्हा सो बारसंगत्थो ॥७८॥ ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે, ભ્રકુટી બાંધેલા ભટોથી વ્યાપ્ત એવા ૨ણસંકટ વખતે સુભટ જેમ કાર્ય ક૨વાને સમર્થ એક જ અમોઘ શસ્ત્રને ધારણ કરે છેઃ એ રીતે જ્યારે અંતકાળે અગર પીડા સમયે તદ્નતમનવાળા પણ સકલદ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર ચિંતવવા માટે સમર્થ થતા નથી, તેવા મરણસમયે દ્વાદશાંગને છોડી સમ્યક્ પ્રકારે આ પરમેષ્ઠિનમસ્કારનું જ તેઓ સ્મરણ કરે છે, કારણ કે તે દ્વાદશાંગનો જ અર્થ છે. ૭૫ થી ૭૮ सव्यं पि बारसंगं परिणामविशुद्धिहेउमेत्तागं । तक्कारणभावाओ कह न तदत्थो नमुक्कारो ॥ ७९ ॥ સઘળુંયે દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિ માટે છે. નવકાર પણ તેનું જ કારણસ્વરૂપ હોવાથી દ્વાદશાંગાર્થ કેમ નહિ ? ૭૯ तग्गयचित्तो तम्हा समणुसरिजा विसुद्धसुहलेसा । तं चैव नमुक्कारं कयत्थयं मन्नमाणो उ ॥८०॥ તે માટે તદ્ગતચિત્ત અને વિશુદ્ધલેશ્યાયુક્ત બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ સમ્યગ્ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઈએ. ૮૦ ૪૪૮ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548