Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 501
________________ પ્રકાશ ચોથો ઉપાધ્યાયનો આશ્રય કરનાર સુજ્ઞમનુષ્ય તત્ત્વથી ચલિત થતો નથી. વાદમાં કોઈ તેને જીતી શકતું નથી. ઉપાધ્યાય મૂર્તિમાન ઉદય છે, સમ્યગ્દષ્ટિ જીવોને માટે ઉત્સવસમાન છે, તથા ઉત્તમપુરુષોને ઉત્સાહરૂપ છે. વચનથી અને વયથી વૃદ્ધ, હિંસાદિ પાપથી રહિત તથા આગમશાસ્ત્રના પારગામી શ્રી ઉપાધ્યાયને તમે પૂજે. ખરેખર ઉપાધ્યાય વિના સપ્તનમાં ચતુરાઈ, પરશાસ્ત્રોમાં કુશલપણું તથા દ્વાદશાંગી સૂત્રની પ્રાપ્તિ ક્યાંથી હોય? સાતરજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોકનો માર્ગ પ્રકાશ કરવામાં દીપક સમાન “નનો ૩વર્જયાનું !' એવા ચોથા પદના સાત અક્ષરો મારા સાત વ્યસનનો નાશ કરો. પ્રકાશ પાંચમો - સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતો નથી, દરિદ્રતા સતાવતી નથી, સ્નેહીજનોનો વિયોગ તથા ઉદ્વેગ થતો નથી. સર્વસંગના ત્યાગી અને રાગાદિ આંતરિકશત્રુના વિજેતા મુનિઓ ખૂબ આનંદ પામે છે, તથા મોક્ષલક્ષ્મી તેમના પર કટાક્ષ ફેકે છે. અર્થાત્ તેમને વરવા ઇચ્છે છે. લોભનો નાશ કરનારા, લોકોત્તરચારિત્રવાળા તથા ત્રીજા લોકોત્તમપદને ધારણ કરનારા મુનિઓ અમારા પાપનો નાશ કરો. સાધુભગવંતો મૂલોત્તરગુણના સમૂહોમાં પોતાની ઈચ્છાનુસાર રમી રહ્યા છે. શ્રુતના પારગામી સંવિગ્નસાધુઓને વિષે એકાકીપણું એ દક્ષિણાવર્તશંખમાં સિદ્ધનદીના જલસમાન છે. સાધુ એકાકી હોવાથી (ગચ્છમાં રહેવા છતાં કેવળ અંતરાત્મામાં જ રમતા હોવાથી સાધુને અહીં એકાકી કહ્યા છે. અથવા તો જિનકલ્પી મુનિઓની અપેક્ષાએ સાધુઓનું એકાકીપણું અહીં વર્ણવ્યું છે) ક્રોધથી વિહ્વળ થતા નથી, માન પણ કરતા નથી, દંભ પણ કરે નહીં તથા એકાંકી રહેનારને લોભ પણ લૂંટી શકે નહીં. એકત્વને પામેલા શ્રી નમિરાજર્ષિ વગેરે પ્રત્યેકબુદ્ધ થઈને શિવસંપદાને પામ્યા. તત્ત્વના જ્ઞાતા અને સંવિગ્ન ચિત્તવાળા સપુરુષોનું એકાકીપણું એ જ સમતાની નીક છે. ઇન્દ્રિયોને વશ રાખનાર બે માણસોમાં પણ એકાકીપણું જ છે, જ્યારે ઇન્દ્રિયોને વશ થયેલો એક હોય તોપણ હજાર જેવો જ છે. બે નેત્રોની જેમ બે મનુષ્યો સાથે હોય તો જ તેઓ દર્શન માટે સમર્થ થાય છે, જ્યારે એકલો તો વિડમ્બનાનું સ્થાન થાય છે. એકલો સ્વાર્થ પણ સાધી શકતો નથી તથા લોક કે લોકોત્તરમાં કોઈ તેનો વિશ્વાસ કરતું નથી. ભાવના અને ધ્યાનમાં જેનો અંતરાત્મા લયલીન છે, તે લાખોની મધ્યમાં વસતો હોય તો પણ તેનું એકાકીપણું નાશ પામતું નથી. નિર્જીવમાં જેમ ચૈતન્ય ન હોય, કાયરોમાં જેમ સાહસ ન હોય, તેમ મુનિઓ ઘણા હોય તો પણ તેમનામાં જરાય કલહ હોતો નથી. ON શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ ૪-૫ થી ૪૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548