Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 510
________________ નમો ઉવારા પદથી મારો નમસ્કાર ઉપાધ્યાયને હોલે, શ્રી ઉપાધ્યાય દ્વાદશાંગ સિદ્ધાંત ભણે. (તે કિસ્યાં? શ્રી “આચારાગ' આદિ અગિયાર અંગ તથા “રાજકશ્રીય' આદિ ૧૨ ઉપાંગ, ૧૪ પૂર્વ (તેમાં) પહેલું પૂર્વ જે અંબાડી સહિત હાથી જેવડો મશીનો પુંજ કીજે, તેટલે ધોળી ‘ઉત્પાદ' પૂર્વ લખાય. બીજું “આગ્રાયણી' પૂર્વ એવા બે હાથી પ્રમાણ મશી હોય ત્યારે લખાય), ત્રીજું ચાર હાથીપ્રમાણ મશીથી), એમ ઉત્તરોત્તર વધતાં ૧૪મું લોકબિંદુસાર લખતાં ૮૧૯૨ હાથીપ્રમાણ મશીનો ઢેર કિજે તો લિખાય). એ ૧૪ પૂર્વને ધરે, તથા કુશલાનુબંધ, આઉર પચ્ચક્માણ, મરણવિધિ, ઈત્યાદિ દશ પન્ના, ૪. મૂલસૂત્ર, છ છે, એ સિદ્ધાંત શિષ્યોને ભણાવે અને પોતે ગુણે, જે ઉપાધ્યાય (પોતે) ગુણે કરી આચાર્યપદ યોગ્ય, નિર્વિકાર, વિદ્યાના સત્રકાર, શ્રી ઉપાધ્યાય તેહનો વર્ણ, જિયો પાંચરત્ન, નીલપર્વત, વસંત માસે વનખંડ, અશોકવૃક્ષ, નીલોત્પલ નીલા નગીનાનો વીજે, મેઘ ઊઠે મેદિની, નવે અંકુરે નીલવર્ણ, તિસ્યા ઉપાધ્યાય નીલ કાંતિએ કરી દીપ્તિવંત હુંતા.“નમો ઉવજ્ઞાયા એ પદમાં શ્રી ઉપાધ્યાયને મારો નમસ્કાર હો! “નો રોઇ વ્યક્વિ લોકમાંહી સર્વ સાધુને મારો નમસ્કાર હો ! જે સાધુ ૧૬ દોષ ઉત્પાદનના ૧૬ ઉદ્ગમના. ૧૦ એષણાના, એવં ૪ર દોષવિશુદ્ધ આહાર લીએ. સમસ્ત ઈદ્રિય દમે, સંસારે ન રમે, ૨૨ પરિષહ સહ, નવકલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા (અળગા) ચાલે, ભવ્યજીવને મુક્તિસુખ મેલામાત્રમાં આપે, જે મુનીશ્વર તણા ૨૭ ગુણ ધરે, (તે કેવા? વ્રતપર્ક ધરે, પાંચ ઈદ્રિય નિગ્રહ, ભાવસત્ય, કરણસત્ય, ક્ષમા, નિર્લોભતા, યથોક્તક્રિયાકરણ, મન-વચન-કાયનિરોધ, કાયષર્ક (રક્ષણ), સંયમયોગ (રમણ), શીતાદિ વેદના સહન, મરણાંત ઉપસર્ગ સહે, એ ૨૭ ગુણયુક્ત હોય), એવા શાંત-દાંત-કાંત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિકશિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બાંધવ, મુગતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ, શ્રતધર, શ્રીરાસ્ત્રવ, સંભિન્નસ્રોત, કોષ્ટબુદ્ધિ, ચારણ શ્રમણ, વૈક્રિય, પદાનુસારિણી, આશિવિષ, આકાશગામિની, બહુરૂપિણી, અક્ષણમાનસી લબ્ધિ, આદિ ૨૮ લબ્ધિને ધરનારા. મોહ, માયા, લોભ, નેહના પ્રતિબંધ ખંડિયા, મહંત, ઉત્તમ પુરુષના ચિઢે પોતે આચરણ કરી હર્ષ ઉપજાવે, પંચ પ્રકારે વિષય, ૧૬ કષાય, ૯ નોકષાય અને ઘરબાર, કુટુમ્બ પરિવાર, હર્ષ, વિષાદ, જેણે મુનીશ્વરે સર્વ પરિહર્યો, સર્વ સંગ પરિત્યાગી કરી મોક્ષમાર્ગ સાધે, બિહું પ્રકારે યતિધર્મ-શ્રાવકધર્મ બોલે, તીન રત્ન જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરે, ચાર વિકથા છાંડે, પાંચ નિદ્રા ટાળે, પાંચ સમિતિ, પાંચ મહાવ્રત, પાંચ સ્વાધ્યાય, પાંચ જ્ઞાન આરાધે, પંચપરમેષ્ઠિધ્યાતા, પંચમ ગતિને માટે ઉત્કંઠીયા, અનેક દેવતા, મનુષ્ય, તિર્યંચના કીધા ઉપસર્ગ સહે. છ બાહ્ય, છ આત્યંતર એ બારે પ્રકારે તપ કરે, ક્ષમાના ભંડાર, ધર્મના ઢિંગ, પુણ્ય કરી પવિત્ર ગાત્ર, સૂક્ષ્મ-બાદર સર્વ જીવની રક્ષા કરે, આર્ત-રૌદ્રધ્યાન દૂરિ છાંડે, ધર્મધ્યાન-શુક્લધ્યાન ધરતાં, સર્વસ, સમતૃણમણિ, સમલોષ્ઠકાંચન, વાસીચંદનકલ્પસમાન અને સમશત્રુમિત્ર, પરબ્રહ્મસ્વરૂપ ભાવતાં, કૃષ્ણકાન્તિ ધરતા, જિસ્યો અરિષ્ઠરત્ન, શ્યામ વર્ણ ગજેન્દ્ર, કાજલવાન, સજલમેઘ, કૃષ્ણરાજી વિમાન, તિસ્યા શ્રી સાધુ ગરુઆ, સત્તરે ભેદે સંયમ સેવતાં, સંસારમાર્ગ રૂંધતા, પાંચ ભરત, ઐરાવત, મહાવિદેહ પંદર ક્ષેત્રમાંથી જે સાધુ તે નો રણ સવ્યસાદુ' પદમાં રહે છે તેમને મારો નમસ્કાર હો! ક્ષો પંઘ નમુનો આ પંચપરમેષ્ઠિનમસ્કાર કિસ્યો છે ? એ પાંખડી જમણે પાસે નીલાડને કાનની વચ્ચે રાતી પીળી કાંતિ ધરતા ધ્યાયે. બ્દ વપૂUTIો એણી જપે અનંતાનંતભાવ પ્રતિ સાત વ્યસન સેવીયા, પંદર કર્માદાન પોષીયા, મિથ્યાત્વ પ્રવર્તાવીયા, અધર્મ કરવે કરી શ્રી જિનધર્મની અવહેલના કીધી, ષકાય અનેકયંત્ર જોહર કરી, બ્રહ્મવ્રત ખંડીવઈ, દીનોદ્ધારજિર્ણોદ્ધાર ન કરવો, દાનને અણદેવે, ભાવના ન સેવે સહસ-લાખ-કોટ-અનંતભવે ૪૬૮ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548