Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 492
________________ શું હું આજે સર્વઅંગોમાં અમૃતથી પરણિત થયો છું? અથવા અકાળે જ શું કોઈએ મને સકલ સુખમય કર્યો છે? ૯૩ इय परमसमरसापत्तिपुवमायन्निओ नमुक्कारो । निहणइ किलिट्ठकम्मं विसं व सियधारणाजोगो ॥१४॥ એ રીતે પરમશમરસાપરિપૂર્વક આચરેલો નમસ્કાર, શીતધારણનો (શીતોપચારનો) પ્રયોગ જેમ વિષને હણે તેમ ક્લિષ્ટ કર્મોને હણી નાખે છે. ૯૪ जेणेस नमुक्कारो सरिओ भावेण अंतकालम्मि । तेणाहूंय सुक्खं दुक्खस्स जलंजली दिन्नो ॥९५॥ - અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વક સ્મર્યો છે, તેણે સુખને આમંચ્યું છે અને દુઃખને જલાંજલિ આપી છે. ૯૫ एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुक्यारी नमुक्कारो ॥१६॥ આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ બંધુ છે અને આ નવકાર એ પરમોપકારી મિત્ર છે. ૯૬ सेयाण परं सेयं मंगलाणं च परममंगल्लं । पुन्नाण परमपुत्रं फलं फलाणं परमरम्मं ॥९७॥ શ્રેયોને વિષે પરમશ્રેય, માંગલિકને વિષે પરમમાંગલિક, પુણ્યોને વિષે પરમપુણ્ય અને ફળોને વિષે પરમરમ્યફળ પણ આ નવકાર જ છે. ૯૭ तह एस नमुक्कारो इहलोगगिहाओ जीवपहियाणं । परलोयपहपयट्टाण परमपत्थयणसारित्थो(च्छो) ॥९८॥ તથા આ લોકરૂપી ઘરથી નીકળીને પરલોકના માર્ગે પ્રવર્તેલા જીવરૂપી પથિકોને આ નવકાર પરમપથ્થદન-ભાતાતુલ્ય છે. ૯૮ जह जह तस्स वण्णरसो परिणमइ मणम्मि तह तह कमेण ! खयमेइ कम्मगंठी नीरनिहित्तामकुंभु व ॥१९॥ જેમજેમ તેના વર્ષોનો રસ મનને વિષે પરિણામ પામે છે, તેમતેમ ક્રમે કરીને પાણીથી ભરેલા કાચા કુંભની માફક જીવની કર્મગ્રન્થિ ક્ષયને પામે છે. ૯૯ तवनियमसंजमरहो पंचनमुक्कारसारहिपउत्तो । नाणतुरङ्गमजुत्तो नेइ नरं निबुइनयरं ॥१०॥ પંચનમસ્કારરૂપી સારથિથી હંકાયેલો અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, નિયમ અને સંયમરૂપી રથ મનુષ્યને નિવૃત્તિ નગરીએ લઈ જાય છે. ૧૦૦ जलणोऽवि हुन्ज सीओ पडिपहहुत्तं च होज सुरसरिया । न य नाम नि(खि)जइ इमो परमपयपुरं नमुक्कारो ॥१०१॥ અગ્નિ કદાચ શીતલ થઈ જાય અને સુરસરિતા-આકાશગંગા કદાચ સાંકડા માર્ગવાળી થઈ જાય, પરંતુ આ નવકાર પરમપદપુરે ન લઈ જાય, એ કદી બને નહિ. ૧૦૧ आराहणापुरस्सरमणन्नहियओ विसुद्धसुहलेसो । संसारूच्छेयकरंतो मा सिढिलसु नमुक्कारं ॥१०२॥ અનન્ય Æય અને વિશુદ્ધલેશ્યા વડે આરાધાયેલો આ નવકાર સંસારના ઉચ્છેદન કરે છે. તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ તેના ઉપર મંદ આદર ન કરો. ૧૦૨ एसो हि नमुक्कारो कीरइ नियमेण मरणकालम्मि । जं जिणवरेहि दिट्ठो संसारूच्छेयणसमत्थो ॥१०३॥ મરણકાળે કરાતો આ નવકાર નક્કી સંસારનો ઉચ્છેદ કરવાને સમર્થ છે એમ શ્રી જિનેશ્વરોએ જોયેલું છે. ૧૦૩ ૪૫૦ - વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NR છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548