Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ नमोनमोनिम्मल दंसणस्स ચોથા અધ્યાયના આરંભે પ્રસ્તુત અધ્યાયમાં કુલ-પ૩ સૂત્રો છે. ચતુર્વિદ્ય-દેવગતિ વિષયક અધિકારની છણાવટ સાથે જીવ અધિકાર પણ અહીં સમાપ્ત થાય છે. એ રીતે સાત તત્વવિષયક પ્રથમ જીવતત્વનું અધ્યયન પણ આ અધ્યાય ની સમાપ્તિ સાથે પૂર્ણતા પામે છે. પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન અને સમ્ય જ્ઞાનને આવરી લીધા પછી, બીજા અધ્યાય થી જીવતત્વ વિષયક અધિકાર આરંભાયો. ત્રીજા અધ્યાયમાં નારક-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિના જીવો વિશે સૂત્રકારે પ્રકાશ પાડેલ છે અને આ અધ્યાય થકી દેવગતિ વિષયક માહિતી સ્રોત પ્રાપ્ત થાય છે. અધોલોક અને તીર્થાલોકનો વિષય કહેવાઈ ગયા પછી મુખ્ય વિષય વસ્તુ ઉદ્ગલોક સંબધિજબાકી રહે. પરંતુ દેવો ત્રણે લોકમાં વિદ્યમાન હોવાથી આ અધ્યાયનું વિષયવસ્તુ પણ ત્રણે લોકની સ્પર્શના કરાવે છે. આ સમગ્ર ચર્ચા દરમિયાન એક મહત્વની બાબત તો સ્મરણસ્થ હોવી જોઇએ કે અહીં દેવ સંબંધિ વર્ણન ચતુર્ગતિના એક હિસ્સા સમાન છે. ગ્રન્થકાર મહર્ષિનું મુખ્ય ધ્યેય દેવ વિષયક માહિતી થી આપણને અવગત કરવાનું નથી. પણ જીવ તે ગતિના મોહમાં મુંઝાય નહીં અને પંચમી ગતિરૂપ મોક્ષના ધ્યેયને વળગી રહે તે જોવાનું છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગ ને જણાવી તે માર્ગ પર ચાલવા અને મોક્ષ તત્વને પામવા માટે આ બધી માહિતી તો સાધનરૂપ છે. સૂત્રકાર મહર્ષિએ જેમ ત્રીજા અધ્યાયમાં નરક ગતિનું પ્રબળ પ્રતિપાદન કરેલ છે. તેમ આ અધ્યાયમાં દેવગતિનાઠોસ સત્યોને અનાવૃત કરેલા છે જે જૂદા જૂદાચાર પ્રકારના દેવોના વર્ણન થકી આપણે જાણવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 186