________________
श्रामण्योपनिषद्
રુક્મી સાધ્વીએ અનાર્થવના કારણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યું, અને તેથી પોતાનો સંસાર એક લાખ ભવ જેટલો વધારી દીધો. ૪.
વક્રતા એ મોટા દુઃખનું કારણ છે. જેનાથી લક્ષ્મણા સાધ્વી બીજાના ન્હાને આલોચના કરીને ઘોર તપશ્ચર્યા કરીને પણ સુદીર્ઘ સંસારમાં ભમ્યા. //પા.
તે જ્ઞાન, તે વિજ્ઞાન, તે તપ, તે સંયમ... આ બધું દંભરૂપી વજથી ભાંગીને એક ધડાકે ભ્રષ્ટ થઈ જાય છે. દા.
થોડું પણ અનાર્જવ શ્રી મલ્લિનાથને સ્ત્રીપણા રૂપી અનર્થનું કારણ થયું હતું. તો અધિક-વક્રતાની તો વાત જ શું કરવી ? ||શી
માયા મિત્રોનો વિનાશ કરે છે (મિત્રોને વિમુખ કરે છે.) આ વાત બાહ્ય ફળની અપેક્ષાએ કહી છે. આંતરિક ફળ તો જાણી લો, કે માયા પોતાના આત્માનો વિનાશ કરે છે. ૮
વક્ર જીવ એમ વિચારે છે કે – “વાહ, મેં આખી દુનિયાને છેતરી.” પણ જ્ઞાનીઓ તો બરાબર જાણે છે, કે તેણે આ માયાથી પોતાના આત્માને છેતર્યો છે. ||