________________
श्रामण्योपनिषद् .
४३ અધિક ઉપકરણ (પુણાલંબન વિના) રાખવાથી સંયમનો ત્યાગ થાય છે = અસંયમ સેવવું પડે છે. ભાર વગેરે દોષો થાય છે. સ્વાધ્યાય-વ્યાઘાત પણ થાય છે. એમ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. //૬ll
જેઓ જિનકથિત ઉપધિ જ ધારણ કરે છે તેમને આનંદ, હળવાશ, સુખ, જિનાજ્ઞાનું પાલન – આ ફળ મળે છે, એ તો પ્રત્યક્ષ જોવાયું છે. //શા
(ઉપધિ જ ન રાખવી એવું કોઈ ન માની લે, કારણ કે) ધર્મોપકરણ તો ધારણ કરવું જ જોઈએ, કારણ કે તે ધર્મમાં ઉપકારક છે. તેના વિના ધર્મારાધના શક્ય નથી. તેનાથી જ તે શક્ય છે. ૮.
વાસ્તવમાં તો મારું કાંઈ છે જ નહીં. કારણ કે હું તો માત્ર જ્ઞાતા છું. જો મારો પરિગ્રહ થાય તો હું જડ થઈ જાઉં એવી આપત્તિ આવે (કારણ કે તદ્રુપે પરિણમન એ જ વાસ્તવિક = અનુપચરિત પરિગ્રહ છે.)