________________
श्रामण्योपनिषद्
શબ્દ વગેરે વિષયોથી શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોને પાછી ખેંચી લેવી અને રાગાદિનો પરિહાર કરવો, એ સંયમ કહેવાય છે. ૩
ક્રોધને કાપી નાખવો, માનનું મર્દન કરવું, લોભનો વિલોપ કરવો અને માયાની કાયાનો અગ્નિસંસ્કાર કરવો, એ સંયમ કહેવાય છે. જો
જે મનદંડને અત્યંત મથી નાખવું, જે વચનદંડને દંડ આપવો, જે દેહદંડનું મરણોત્તર કાર્ય કરવું, એ સંયમ કહેવાય છે. //પા.
તે આ સત્તર પ્રકારનું સંયમ કહેવાય છે. જેને જાણવાથી શું નથી જાણ્યું ? જેને જોવાથી શું નથી જોયું? જેને સાંભળવાથી શું નથી સાંભળ્યું? Ill
વાક્પટુની વાતોથી સર્યું, ખોટા તંત્રોની કલ્પનાથી પણ સર્યું, એક સંયમની આરાધના કરો, એટલી જ જિનેશ્વરોની આજ્ઞા છે. //શા
વિદ્યા, મંત્ર, તંત્રના જાણકારો પણ ન કરી શકે તેવી વસ્તુ ધરતી પર છે. પણ જેઓ સંયમથી શોભાયમાન છે, તેમના માટે તો દુનિયામાં કાંઈ જ અસાધ્ય નથી. ૮