Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 267
________________ ભર્તુહરિકૃત જેઓના મનમાંથી અમુક ફલાણે છે અને અમુક હું છું, આવી જાતના વિકલ્પ નાશ પામ્યા છે તેવા પુરુષે ભાગ્યશાળી છે. પરંતુ કામનામાં રચ્યાપચ્યા રહેનારા પુરુષો તે નિઃશંકપણે પાપકર્મ કરતા રહીને આ જગતમાં ભટકયા કરે છે. તેઓ જાણે છે કે આ સર્વ જગત્ અર્થહીન-મિથ્યા છે, ભ્રાંતિથી દેખાય છે અને દ્વિતરૂપી જાળથી ભરપુર છે. છતાં પણ, હાય! હાય ! તેઓ રાગને તથા દ્વેષને લીધે “અમે ઉત્તમ છીએ, ફલાણમાં તે કંઈ પણ નથી, આવી રીતે અભિમાન કર્યા કરે છે. ૧૫ તાત્પર્ય-સંસાર મિથ્યા છે, આમ જાણ્યા છતાં પણ કેટલાએક રાગદ્વેષને લીધે બીજાનું અપમાન કરે છે અને પિતાને શ્રેષ્ઠ માને છે, તેઓને ધિક્કાર છે. : રાક્ષરીવૃત્તઃ . (સગુણની ઉપાસના) न चेत्ते सामर्थ्य भवनमरणातङ्कहरणे मनोऽनिर्दिष्टेऽस्मिन्नपगतगुणे ज्ञातुमकले। तदा मेघश्यामं कमलदलदीर्घाक्षममलं भजस्व श्रीरंगं शरदमृतधामाधिकमुखम् ॥ १६ ॥ જન્મ, મરણ તથા રોગ, ત્રિવિધ તાપ અને શંકાને હરનારા, મનથી પણ જાણવામાં આવે નહિ તેવા, સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણથી રહિત અને અકળ એવા પરબ્રાને જાણવાનું જે તારામાં સામર્થ્ય ન હોય, તે. મેઘના જેવા શ્યામ રંગના, કમળના દલસમાન વિશાળ નેત્રવાળા, સર્વ જાતના દેથી રહિત, શરદબાતુના ચન્દ્ર કરતાં પણ અધિક કાંતિમાન મુખવાળા, શુદ્ધ સ્વચ્છ શ્રીરંગનું (શ્રીકૃષ્ણનું) ભજન કર. ૧૬

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328