________________
ભર્તુહરિકૃત જેઓના મનમાંથી અમુક ફલાણે છે અને અમુક હું છું, આવી જાતના વિકલ્પ નાશ પામ્યા છે તેવા પુરુષે ભાગ્યશાળી છે. પરંતુ કામનામાં રચ્યાપચ્યા રહેનારા પુરુષો તે નિઃશંકપણે પાપકર્મ કરતા રહીને આ જગતમાં ભટકયા કરે છે. તેઓ જાણે છે કે આ સર્વ જગત્ અર્થહીન-મિથ્યા છે, ભ્રાંતિથી દેખાય છે અને દ્વિતરૂપી જાળથી ભરપુર છે. છતાં પણ, હાય! હાય ! તેઓ રાગને તથા દ્વેષને લીધે “અમે ઉત્તમ છીએ, ફલાણમાં તે કંઈ પણ નથી, આવી રીતે અભિમાન કર્યા કરે છે. ૧૫
તાત્પર્ય-સંસાર મિથ્યા છે, આમ જાણ્યા છતાં પણ કેટલાએક રાગદ્વેષને લીધે બીજાનું અપમાન કરે છે અને પિતાને શ્રેષ્ઠ માને છે, તેઓને ધિક્કાર છે. : રાક્ષરીવૃત્તઃ
. (સગુણની ઉપાસના) न चेत्ते सामर्थ्य भवनमरणातङ्कहरणे मनोऽनिर्दिष्टेऽस्मिन्नपगतगुणे ज्ञातुमकले। तदा मेघश्यामं कमलदलदीर्घाक्षममलं भजस्व श्रीरंगं शरदमृतधामाधिकमुखम् ॥ १६ ॥
જન્મ, મરણ તથા રોગ, ત્રિવિધ તાપ અને શંકાને હરનારા, મનથી પણ જાણવામાં આવે નહિ તેવા, સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણથી રહિત અને અકળ એવા પરબ્રાને જાણવાનું જે તારામાં સામર્થ્ય ન હોય, તે. મેઘના જેવા શ્યામ રંગના, કમળના દલસમાન વિશાળ નેત્રવાળા, સર્વ જાતના દેથી રહિત, શરદબાતુના ચન્દ્ર કરતાં પણ અધિક કાંતિમાન મુખવાળા, શુદ્ધ સ્વચ્છ શ્રીરંગનું (શ્રીકૃષ્ણનું) ભજન કર. ૧૬