Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 172
________________ થયા છે તેવી રીતે સામા પક્ષે ક હેત તે સિદ્ધાંતના નામે, તીર્થરક્ષાના નામે, શ્રીમ તેના પૈસાના જોરે આખા સંઘમાં દાવાનળ ફેલાવ્યું હેત અને ભકિક લે છે પાસે પેટ્રેલ છંટાવી આગને બુઝાવી દીધી ન હેત. તીર્થરક્ષા માટે તેઓશ્રી ઉપર વિશ્વાસ રાખી જેઓએ તન-મન-ધનથી ભોગ આપ્યો હતો તેને વિશ્વાસઘાત કરી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવીને ધમી માણસેના માથા કાપ્યા છે. જે તેઓશ્રી ખરેખર જ્ઞાની હેત તે આવા ભયંકર પાપ કદી કરી શક્ત નહીં, - શ્રી આચાર્યશ્રોએ સાચી તિથિની પક્કડ રાખી તેટલો પક્કડ સાચુ પ્રતિક્રમણ કરવા-કરાવવાની રાખી હેત તે સંઘનું ભાવિ ઘણુ ઊજળું હેત અને ચોથા આરાના દર્શન થાત. પણ વિદ્યાને સાચું પ્રતિક્રમણ કરી-કરાવી શકે નહિ. તેઓ ને પાપે ઢાંકવા ઘર્ષણે ચાલુ રાખવા જ પડે. સિદ્ધાંતરક્ષાની સાચી ભાવને હેય તેઓ કદી દેવગુરુની આજ્ઞાઓ ભાગે નહિ જ્યાં વિગુરુની આજ્ઞાપાલનનું બંધન ન હોય, અસંયમીઓને વાંદવાનું બંધ ન હોય, સાધુઓના આચારનું પાલન ન હોય, શિયળરક્ષાની ખાતરી ન હોય તેઓ પાસે દીક્ષા કરવા, કરાવવી અને સહકાર આપવો તે ઇરાદાપૂર્વક ઝેર ખાવા જેવું છે. શાસનની ચિંતા હોય અને આપણા સંતાનના જીવન ચાણાભંજ પાસે મોકલી બગાડવા ન હોય તે વિચાર કરવા વિનંતી છે. શાસનરક્ષાના નામે નવા નવા અને ઊભા કરી સંધમાં કલુષિત વાતાવરણ ઊભું થાય તે પહેલાં શાસન પક્ષના ગીતાર્થ ચારિયસ પન મહાત્માઓની સલાહ લઈ વિચારણા કરવી કે આ કાર્ય સકલ સંધના હિતમાં છે કે કેમ ? તે નક્કી થાય તે જ કાર્યમાં મદદે કરવા વિનંતી છે. બંધને છિન્નભિન્ન કરવાનું પાપ જેવું તેવું નથી. શાસનપક્ષમાં સિદ્ધાંતના નામે કલેશે કરાવ્યા તે વ્યાજબી હતા કે ગેરવ્યાજબી તે ગીતાર્થ ભમવાની સલાહ લીધી હોત તે સત્ય સમજી શકાત. શ્રી આચાર્યશ્રીએ દેવગુરુની આજ્ઞા ભાંગી છે માટે હવે વિશ્વાસપાત્ર ગણુય નહિ. પૂ આ ભ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે પોતાના શિષ્ય પૂ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞા કરેલ છે બાલચંદ્રને આચાર્ય પદવી આપવી નહિ. અજયપાળે સત્તાના જોરે ભાલચંદ્રને આચાર્ય પદવી આપવા હુકમ કર્યો. તે હુકમને તાબે નહિં થતાં, ગુરુની આજ્ઞાપાલન ખાતર અને સંઘના કલ ણ ખાતર, પૂe આશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તેલની ધગધગતી કડાઈમાં તળાઈ ગયા. આવા ઉત્તમ મહાપુરુષ શાસનરક્ષક-સિહાંતરક્ષક બની શકે છે અને તેઓશ્રીના નામ શાસ્ત્રના પાને સુવર્ણ અક્ષરે લખાય છે. ત્યારે શ્રી આચાર્યશ્રીએ દેવ-ગુરુની આજ્ઞા ભાંગી, અસંયમને પિષ્ય. મહાવતે સહેલાઈથી ભંગાય તે માર્ગ ખુલે મૂકો. વિભાગ ત્રીજો ૧૫

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218