Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જો મુક્તિ આપ્યા વિના ચાલ્યા જ જતા હોય તો તેમાં કારણનું લક્ષણ ઘટે જ નહીં. યથાર્થ કારણનું લક્ષણ જ આવું છે કે “અનન્યથાસિદ્ધત્વે મતિ नियतपूर्ववृत्तित्वं कारणस्य लक्षणम्". આ કારણે જે જીવની ભવસ્થિતિનો પરિપાક થયો તે જીવમાં અવશ્ય ગુણોનો પ્રાદુર્ભાવ થાય જ છે અને તેનાથી અપુનર્બન્ધક અવસ્થા આવે જ છે. તેનાથી ત્રણ કરણો કરવા દ્વારા આ જીવ અવશ્ય ઉપર આવે છે. ધીરે ધીરે કેવલજ્ઞાની બનીને ભવનો અંત કરનાર બને છે. આ પ્રમાણે સૌથી પ્રથમ આ જીવમાં જે ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. તેમાં કાલવિશેષ એટલે કે કાલનો પરિપાક થયો એ જ મોટું કારણ જાણવું, ભવમાંથી નીકળવાનો કાળ પાક્યો છે એ જ સાચું કારણ છે. આ પ્રમાણે જ ઘર્ષણ ધોલનન્યાયે અથડાતાં કુટાતાં કુટાતાં આ જીવનો મોક્ષે જવાનો કાલ પાકે છે ત્યારે આવા પ્રકારના કાલના પરિપાકથી જ જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને આ ગુણોથી જીવનું ઉર્વારોહણ થાય 9.1190911 અવતરણ :- જો ભવનો પરિપાક ગુણો પ્રાપ્ત કર્યા વિના થતો હોય તો તેની જેમ મોક્ષની પ્રાપ્તિ પણ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ કેમ ન થાય ? શા માટે ગુણો મેળવવા જોઈએ ? જેમ ગુણો વિના ભવનો પરિપાક થયો તેમ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ એટલે કે રત્નત્રયીની સાધના કર્યા વિના જ મુક્તિની પ્રાપ્તિ પણ કેમ ન થાય ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે તેનો ઉત્તર આપતાં જણાવે છે કે - એક ઉપાય થકી ફલપાક, બીજો સહજઈ ડાળવિપાક | કારણતણો ઈમ જાણો ભેદ, કારણમાં સ્યું આણો ખેદ II૧૦૮॥ ગાથાર્થ :- ફળના પરિપાક રૂપ એક કાર્ય કારણથી થાય છે અને આજ ફળના પરિપાક રૂપ બીજું કાર્ય શાખાની ઉપર સહજપણે

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388