Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 353
________________ ૩૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ આ સંસારમાં પરમાણુ-શુક-ચણક-ચતુરણુક સંખ્યાતાણુક અસંખ્યાતાણુક અને અનંતાણુક દ્રવ્યો છે. પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ આદિ નવ દ્રવ્યો છે. તેમાં પરમાણુ સ્વરૂપ જે પૃથ્વી આદિ દ્રવ્યો છે તે માત્ર નિત્ય જ છે. કારણ કે તે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનાં છે માટે નિત્ય છે. ' પરંતુ ચણક, ચણક આદિ જે સ્કંધાત્મક પૃથ્વી-જળ-તેજ-વાયું દ્રવ્યો છે તે કાર્યરૂપ દ્રવ્યો છે. આ કાર્યરૂપ દ્રવ્યો અનિત્ય જ છે. કારણ કે બે-ત્રણ-ચાર આદિ પરમાણુઓના સંયોગથી બન્યાં છે અને કાળાન્તરે વિનાશ પામનારાં પણ છે. માટે કેવળ અનિત્ય જ છે. એટલે પરમાણુ સ્વરૂપવાળી પૃથ્વી નિત્ય જ અને કયણકાદિ અંધાત્મક પૃથ્વી અનિત્ય જ છે. આમ એકાન્તવાદ માને છે. આ નૈગમનય તે સામાન્ય અને વિશેષ એમ ઉભયનયાત્મક છે. એટલે નયક્રયાત્મક છે બને નયની વાત પોતે માને છે પણ સ્વતંત્રપણે માને છે. માટે મિથ્યાત્વ જ છે જે નિત્ય છે તે પરમાણુ પૃથ્વી આદિ અનિત્ય નથી જ અને કયણુકાદિ જે પૃથ્વી છે તે અનિત્ય જ છે. પણ નિત્ય નથી. આમ એકાન્તવાદ માનતો હોવાથી મિથ્યાત્વ છે. જો કે એક જ વસ્તુમાં દ્રવ્યને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને નિત્ય માનવામાં આવે અને તે જ વસ્તુમાં પર્યાયને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને અનિત્ય પણ માનવામાં આવે ત્યારે કોઈ પણ એક વસ્તુમાં જ વારાફરતી પ્રધાનતાની અપેક્ષાએ ઉભયનયનો અભ્યપગમ (સ્વીકાર) થાય છે. આમ ઉભયનય ક્રમસર સ્વીકારવાથી આ માન્યતા પ્રમાણરૂપ બને છે. માટે આવી ક્રમસર બને નયની માન્યતાવાળી દૃષ્ટિને સત્વરૂપ માનવામાં આવી છે. કારણ કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ પણ તેવું જ છે. માટે યથાર્થવાદ છે.

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388