Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 339
________________ ૩૨ ૨ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ मारग साचो सूझइं । मिथ्यादृष्टि ते एक एक अंशनइ तत्त्व करीनइं ग्रहइ, बीजास्युं द्वेष करइ, तेहगांहिं कोइ राचस्यो मा ॥११६॥ વિવેચન - આ ગ્રંથમાં મિથ્યાષ્ટિનાં છ સ્થાનોનું સવિસ્તરપણે વર્ણન કર્યું છે (૧) નાસ્તિકવાદ = આત્મા જેવું કોઈ તત્ત્વ નથી, (૨) અનિત્યવાદ = સંસારના સર્વે પણ પદાર્થો અનિત્ય છે ક્ષણિક છે. (૩) અકર્તુક્વાદ-આત્મા કર્યાદિનો કર્તા નથી. (૪) અભોજ્જવાદ આત્મા કર્મફલાદિનો ભોક્તા નથી. (૫) મોક્ષાભાવવાદ = મોક્ષ જેવું કોઈ તત્ત્વ છે જ નહીં અને (૬) અનુપાયવાદ = મોક્ષના કોઈ ઉપાયો નથી. આ મિથ્યાષ્ટિના ૬ સ્થાનો છે. તે ૬ સ્થાનોને જે ત્યજે છે તે જ આત્મા શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. “સૂવું સવિત” આ શબ્દનો અર્થ એવો છે કે નામમાત્રથી જે સમ્યકત્વ કહેવાય છે તે દ્રવ્યસમ્યકત્વ છે. આ દ્રવ્ય સમ્યકત્વ તો તેવા પ્રકારની ક્રિયા કરાવવા દ્વારા ઉચ્ચરાવવામાં આવે છે કે સુદેવ-સુગુરુ અને સુધર્મને જ હું આદરીશ. કુદેવ-કુગુરુ અને કુધર્મને હું નહીં સ્વીકારું પણ આ દ્રવ્યસમ્યકત્વ જ કહેવાય છે. પરંતુ જે આત્મા સાચું તત્ત્વ જાણે છે અને તેને જાણીને તેનો જે પક્ષપાત રાખે છે. સાચા સમ્યકત્વનો જે સ્વીકાર કરે છે તેવા સમ્યકત્વ ગુણવાળો જીવ જો મિથ્યાષ્ટિએ માનેલાં આ ૬ સ્થાનોનો સમ્યભાવે વિચાર કરીને સમ્યકભાવે પરીક્ષા કરીને આ મિથ્યામતિનાં ૬ સ્થાનોને છોડી દે છે. ત્યજી દે છે. તે જ જીવ સાચા સમ્યત્વ ગુણને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન :- ઘણો વિચાર કરીને નિર્ણયાત્મકભાવે ૬ સ્થાનોની જે પરમ શ્રદ્ધા થાય તેને જ નિશ્ચય સમ્યકત્વ કેમ કહો છો ? ઉત્તર :- તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જ કહે છે કે “તત્પરીક્ષાનન્ય પાથરૂપ જ્ઞાન તે ન સમજિત છ” ઉપર જણાવેલાં મિથ્યાત્વનાં

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388