________________
ઇચ્છાઓ નાશ ન પામે તો તે તપ આત્માનું કલ્યાણ કરતો નથી અને આત્માને સંસારમાં ભટકવાનું ચાલું રહે છે. “સારા પદાર્થો પ્રત્યેની ઇચ્છાઓનો અને ખરાબ પદાર્થો પ્રત્યેના દ્વેષનો નાશ કરવાનો છે.” તે રીતે જે કોઇ આત્માઓ આ તપની આરાધના કરે છે તેઓ શ્રી જિનેશ્વરદેવના ધર્મની ખરેખરે ભક્તિ કરે છે.
તપનું ખરેખર ફળ શું ?
उपसर्गा क्षयं यान्ति, छिद्यन्ते विध्नवल्लयः ।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥
શ્રી જિનેશ્વર દેવની જે સદા માટે પુજા કરે છે, તેને કાં તો ઉપસર્ગો આવે નહિ અને કદાચ ઉપસર્ગો આવે તો, તે એવી રીતે ઉપસર્ગોને સહન કરે કે તેને ઉપસર્ગો ી આવે નહિ. તેવી જ રીતે તે જીવને વિઘ્નો આવે નહિ અને કદાચ વિઘ્નો તેને આવે તો તે વિઘ્નોનો એવી રીતે સામનો કરે કે જેથી તેના વિઘ્નો નાશ પામી જાય. અને ફરી તેને વિઘ્નો આવે નહિ. ઉપસર્ગો અને વિઘ્નોની હાજરીમાં ય તેના મનની પ્રસન્નતા જ હોય એટલે તેને જો કોઇ કર્મ નડે નહિ તો તે સીધો મોક્ષે ચાલ્યો જાય નહિ તો સદ્ગતિની પરંપરા સાધીને વહેલામાં વહેલો મોક્ષે પહોંચી જાય.
આ રીતે તપ કરનારાઓ અને તપનું ઉદ્યાપન કરનારાઓ એવી ભાવના રાખતા થઇ જાય કે- ‘મારામાં એવી શક્તિ ક્યારે આવે કે જેથી, જે તપ કરીએ તે કરતા કરતા મારી સઘળીય ઇચ્છાઓનો નિરોધ થાય અને મારો આ સંસાર ઝટ છૂટી જાય. અમારી સદ્ગતિ નક્કી થઇ જાય અને દુર્ગતિ બંધ થઇ જાય. સદ્ગતિ સુખ માટે નથી જોઇતી પણ મોક્ષ માર્ગની આરાધના ચાલુ રહે માટે જોઇએ છે.’ આવી ભાવના રાખી જે કોઇ જીવ તપ કરે કાં તપ કરનારાઓનું અનુમોદન કરે તે વહેલામાં વહેલો મુક્તિપદને પામે. તમો સૌ આ રીતે સુંદર ભાવનાપૂર્વક આરાધનામાં લીન બની જાઓ અને વહેલામાં વહેલા મોક્ષને પામો એ જ સદાની શુભાભિલાષા સાથ પૂર્ણ કરું છું.
[સં. ૨૦૩૩ ના પ્ર.શ્રા.વદિ-૬ ને શુક્રવાર તા. ૬-૮-૭૭ અ.સૌ. સુશ્રાવિકા ભાનુમતીબેન કુન્દનલાલ ઝવેરીના માસક્ષમણ ના પારણા પ્રસંગે પૂજ્યપાદશ્રીજીએ આપેલ પ્રાસંગિક હિતશિક્ષા :]
શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં તપધર્મને એટલા માટે મહત્ત્વનો માન્યો છે ક
Page 19 of 77