Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ [૨૦૩૩ ના દ્વિ. શ્રા. સુ. ૧૫ ને રવિવાર તા. ૨૮-૮-૭૭ ના રોજ અઠ્ઠાઇ તપના પૂજણા પ્રસંગની પૂજ્યપાદશ્રીની પ્રાસંગિક હિતશિક્ષા.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં તપ ધર્મનો મહીમા ઘણો છે. આપણે ત્યાં શ્રી પર્યુષણ પર્વ આવે ત્યારે ઘણા આત્માઓ આઠ, દશ, સોળ, માસક્ષમણાદિ તપ કરે છે. તેમને માટે કોઇને ય કલ્પના આવે ખરી કે, આ લોકો રાતે ખાતા હશે ! અભક્ષ્ય ખાતા હશે ! નવકારશી ચોવિહાર પણ નહિ કરતા હોય ! પરન્તુ આજે તે કલ્પના સાચી છે. ભગવાનનું શાસન જે વાત કહે છે તે ખોટી દેખાય છે. ઇચ્છામાત્રનો વિરોધ કરવા માટે તપ છે. ખાવા પીવાદિની મજા છૂટી જાય તે માટે તપ છે. અણાહારી પદ મળી જાય તે માટે તપ છે. આવો તપ કરનારને રાતે ખાવું જ પડે ? ઘરમાં વિરોધ હોય તો એકવાર ખાઇ લે. સાંજે ન ખાય તો ન ચાલે ? પણ, આજે તો પર્યુષણમાં તપ કર્યો એટલે પછી ગમે ત્યારે ખાવામાં વાંધો નહિ તેવું માનનારો વર્ગ વધી ગયો છે. ભગવાનના શાસનનો તપ કરે તેને તો જીવનભર તપ થઇ જ જાય. નવકારશી ચોવિહાર તો તે કરે જ. રાતે તે ખાય નહિ પણ, આજે તે વાત બદલાઇ ગઇ છે. તપ કરનારા બારે મહિના મરજી આવે તેમ વર્તતા હોય છે. -રાતે ખાય, અભક્ષ્ય પણ ખાય, દેર (દર્શન કરવાય) જાય નહિ, પૂજા ય કરે નહિ, તે ખોટું છે. તપ કરનાર અને મહોત્સવ કરીને અનુમોદના કરનાર રાત્રિભોજન કરે ? નવકારશી-ચોવિહાર ન કરે તે બને ? આ સંસ્કાર પડે તો ય ગતિ સુધરી જાય. Page 17 of 77

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77