________________
સમજવાની-સહવાની અને આચરવાની સઘળી સામગ્રી આપણને મળી છે. તેનો જો સદુપયોગ ન થાય અને વિરાધના થઇ જાય તો આપણો સંસાર વધી જાય.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ થયા, જેમણે આપણે સૌ “નમો અરિહંતાણં' કહી નમસ્કાર કરીએ છીએ. તે સઘળા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા, એટલું જ નહિ પણ આપણા માટે મોક્ષમાર્ગ મૂકીને ગયા. વર્તમાનમાં છેલ્લા શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માનું શાસન ચાલે છે જેના પ્રતાપે આપણે સહુ આરાધના કરી શકીએ છીએ. સાચો આરાધક કોણ કહેવાય ? જેને આ સંસાર રૂચે નહિ, ઝટ મારો મોક્ષ ક્યારે થાય” આવી જેના હૈયામાં ઇચ્છા જાગે તે જ સાચી રીતે આરાધક બને. આવી ભાવના વાળો જીવ અન્યત્ર-અન્ય દર્શનમાં હોય તો પણ આરાધક કહેવાય છે તો તમને તો જૈન કુલાદિ સામગ્રી સારામાં સારી મળી છે. પણ જો આ ભાવ ન જાગે કેઆ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જ મેળવવા જેવો છે.' તો તે સાચો ભગત નથી આપણનેય આ વાત ન બેસે તો આપણે ય સાચા ભગત નથી. આ ભાવ જો હૈયામાં આવે, સાચી ભક્તિ જો અંતરમાં જચે તો દાન-શીલ-તપની રીત બદલાઇ જાય, ભાવ તો તેના અંતરમાં રમતો જ હોય. તેવા જીવને લક્ષ્મી સાથે રહેવું તો રહે પણ લક્ષ્મી મેળવવી ગમે નહિ; ભોગ કરવા પડે તો કરે પણ ક્યારે છૂટે તે જ તાલાવેલી હોય; ખાવું પીવું પડે સંસારની મોજ કરવી પડે તો ક્યારે છૂટે તે જ ભાવના હોય. આવી રીતે જો બાહ્યતમ કરવામાં આવે તો તે અત્યંતર તપનો સાચો પોષક બની શકે છે.
શ્રી અરિહંત પરમાત્માનું શાસન મળ્યું છે, તેની છાયા પડી જાય અને સમજી જાવ તો આ ભાવના પેદા થાય. તે ભાવ પેદા થવા છતાં સંસારથી ઝટ છૂટાય, મોક્ષે પહોંચાય તે માટે દાન-શીલ-તપ કરતા થાવ. લક્ષ્મીની મૂચ્છ મટે, ભોગની વાસના મટે, ખાવા-પીવાદિની મોજમજા નાશ પામે, આત્મા સંયમ અને તપોમય બની જાય તે ભાવનાથી આ દાનાદિ કરવામાં આવે તો ઝટ મોક્ષ થાય. સો આ ભાવનામય બની વહેલામાં વહેલા સંપૂર્ણ સંવર-નિર્જરામય બનો તે જ શભાભિલાષા.
VVVVV
Page 44 of 77