Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 55
________________ સિં. ૨૦૩૬ આસો વદિ-૧૧ સોમવાર, તા. ૩-૧૧-૮૦ રાજકોટ.] અનંત ઉપકારી શ્રી વીતરાગદેવના શાસનમાં જે તપ ધર્મ વર્ણવામાં આવ્યો છે, તે આત્મામાં અનાદિ કાળથી ભરાયેલા કર્મોને કાઢવા માટે અદ્ભુત ઉપાય છે. જો “ખાવા-પીવાદિ જે મોજમઝા તે જ સંસારનું મૂળ છે.” આ વાત સમજાય નહિ, હૈયામાં ઉતરે નહિ, તેના ઉપરની શ્રદ્ધા પણ મજબુત થાય નહિ તો ગમે તેવા મોટા તપ કરે, માસક્ષમણાદિને પારણે માસક્ષમણ કરે તો પણ તેનું ભલું થાય નહિ. પરન્તુ જેના હૈયામાં એમ બેઠું છે કે, “મારો ખાવાનો રસ-સ્વાદ નાશ પામે, ઇન્દ્રિયોના વિષયો મરે, કષાયો પણ મરે” તો તે નાનામાં નાનો તપ કરે તોય લાભદાયી બને. પરન્તુ જો આ. વાત હૈયામાં બેઠી ન હોય તો તે મોટા મોટા તપ કરે તો પણ પારણામાં ગાંડો થયા વિના રહે નહિ. આ રીતે તપ કરે અને પાછું પારણામાં ગાંડપણ કરે-સેવે તો તેના સંસારનો અંત આવે નહિ. સંસારનો અંત લાવવો હોય તો સ્વાદને મારવો પડે, વિષયની વાસનાઓને પણ મારવી પડે, કષાયોનો પણ નાશ કરવો પડે. જે જીવને ભૂતકાળની વિરાધનાદિના કારણે તપનો એવા જ પ્રકારનો અંતરાય બંધાયેલો છતાં તપના ઉપરના પ્રેમને કારણે પોતાનું કામ સાધી ગયા. શ્રી કૂરગડુ મુનિને સૌ જાણે છે. તે મહાત્માને તપનો એવો અંતરાય હતો કે, નવકારશી પણ મહામુશીબતે કરતા. છતાં તેમના અંતરમાં એક વાત બેઠી હતી કે- “મારો મહાપાપનો ઉદય છે કે આ ખાવા-પીવાદિની લત નાશ પામતી નથી. કેવો ભારે અંતરાય બાંધીને આવ્યો છું કે ભુખ જરા પણ વેઠી શકતો નથી.' અને એથી જ જ્યારે મહાપર્વના દિવસે ભીક્ષા વહોરીને લાવ્યા છે, ત્યારે સહવર્તી ચાર માસક્ષમણના તપસ્વી મુનિઓને તેના ઉપર ગુસ્સો આવે છે અને તે મહાત્મા ભીક્ષા બતાવે છે તો પાત્રમાં ઘૂંકે છે. તે છતાં આ મહાત્મા વિચારે છે કે, આવા મહામુનિઓને ગુસ્સો આવે તે સંભવિત છે. મારા પાત્રમાં થંક્યા તો ય તે માને કે, મને અમી મળ્યું. આ ભાવનામાં ચઢવાને કારણે હાથમાં કોળિયો રહી ગયો અને હૈયામાં કેવળજ્ઞાન પ્રગટી ગયું. Page 55 of 77

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77