Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 29
________________ પરમેષ્ઠીને નમસ્કાર કરનારા છો, ઉપાસના કરનારા છો. પંચ પરમેષ્ઠીનો ઉપાસક સંસારની સાધના કરે ખરો ? આપણા પંચ પરમેષ્ઠી સંસારથી પર છે તેમની આરાધના કરનારો સંસારની આરાધના કરનારો હોય? સમકિત એવો ઊંચો ગુણ છે કે જીવન આખું સાથે રહે, મરતાંય સાથે રહે. પરલોકમાં ય સાથે આવે અને એમ કરતાં ઠેઠ મોક્ષે મૂકી આવે. આ મનુષ્ય જન્મ સંસારની સાધના માટે નથી પણ મોક્ષની સાધના માટે જ છે. એમાં સંસારની સાધના કરવી પડે તે ભારે પાપોદય હોય તો જ કરવી પડે પણ તે કરવા જેવી નથી જ. આવું હૈયામાં નિશ્ચિંત થઇ જાય તો બેડો પાર થઇ જાય. આ વાત સમજી જીવનમાં જીવતા થાવ તો આ મનુષ્યજન્મ સુલભ બને અને વહેલામાં વહેલી મુક્તિની પ્રાપ્તિ થઇ જાય. સૌ આવી દશાને પામો તે જ શુભાભિલાષા. Page 29 of 77

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77