________________
પરમેષ્ઠીને નમસ્કાર કરનારા છો, ઉપાસના કરનારા છો. પંચ પરમેષ્ઠીનો ઉપાસક સંસારની સાધના કરે ખરો ? આપણા પંચ પરમેષ્ઠી સંસારથી પર છે તેમની આરાધના કરનારો સંસારની આરાધના કરનારો હોય?
સમકિત એવો ઊંચો ગુણ છે કે જીવન આખું સાથે રહે, મરતાંય સાથે રહે. પરલોકમાં ય સાથે આવે અને એમ કરતાં ઠેઠ મોક્ષે મૂકી આવે.
આ મનુષ્ય જન્મ સંસારની સાધના માટે નથી પણ મોક્ષની સાધના માટે જ છે. એમાં સંસારની સાધના કરવી પડે તે ભારે પાપોદય હોય તો જ કરવી પડે પણ તે કરવા જેવી નથી જ. આવું હૈયામાં નિશ્ચિંત થઇ જાય તો બેડો પાર થઇ જાય. આ વાત સમજી જીવનમાં જીવતા થાવ તો આ મનુષ્યજન્મ સુલભ બને અને વહેલામાં વહેલી મુક્તિની પ્રાપ્તિ થઇ જાય. સૌ આવી દશાને પામો તે જ શુભાભિલાષા.
Page 29 of 77