SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૩૪, રવિવાર, શ્રા.સુ. ૨.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં, ઉત્તમમાં ઉત્તમ નિર્જરા સાધીને આત્માનું કલ્યાણ સાધવાનો ઉત્તમ ઉપાય જ્ઞાન પૂર્વકનો તપ કહ્યો છે. આ તપ જે અત્માઓને સાચા ભાવે પરિણામ પામે તેના કષાયો ક્ષીણ થયા વિના રહે નહિ. કષાયક્ષીણ થયા વિના આત્મા આગળ વધતો જ નથી. આપણે ત્યાં સમ્યકત્વ પામવા કે દેશવિરતિ પામવા કે સર્વવિરતિ પામવા કે વીતરાગતા પામવા કષાયોને મારવા જ પડે છે. કષાયોને મારવાનો અદ્ભુત ઉપાય તપ છે. તે પણ સંવરપૂર્વકનો હોય તો આત્માનો વહેલો નિસ્તાર કરે છે. તો મારી ભલામણ છે કે જે કોઇ આત્માની શક્તિ હોય તે તપ ધર્મનું આરાધન કરી, પ્રયત્નપૂર્વક કષાયોને નિર્મલ કરી, આત્મગુણોને પામી વહેલામાં વહેલા મુક્તિપદને પામો તે જ સદાની શુભાભિલાષા. [શનિવાર, તા. ૧૯-૮-૭૬, ૨૦૩૪, શ્રાવણ વદિ-૧.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ આ ભયાનક સંસારથી પાર પામવા દાન-શીલ-તપ-ભાવ સ્વરૂપ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. તે દાન-શીલ અને તપ જો કરવામાં આવે તો તે દાન-શીલ-તપ, આત્માને સંસારથી બચાવી મોક્ષે પહોંચાડવાની તાકાત ધરાવે છે. ભગવાને તપ ધર્મ એટલા માટે કહ્યો છે કે, આત્મા અનાદિકાળથી અનેક જાતિની ઇચ્છા અને તૃષ્ણામાં પીડાઇ રહ્યો છે. તે તપના પ્રભાવથી તૃષ્ણા બળી જાય છે અને ઇચ્છાઓ નાશ પામે છે. જેના કારણે જીવનો જો વીર્ષોલ્લાસ વધી જાય તો રત્નત્રયી પણ પામી શકે છે અને સુંદર આરાધી. શકે છે. “અનાદિથી ભયંકર કોટિના કર્મો આત્મામાં પડ્યા છે તેને હલાવીને નાશ કરે, જેથી સંસારની મમતા ઉતરી જાય.” આ હેતુ સિદ્ધ ન થાય તો તે ભગવાનના શાસનનો તપ જ નથી. ભગવાને સંસારને અસાર કહી સુખ માત્રને અસાર કહ્યું છે. સારી ચીજીની ઇચ્છા થાય તેને ય પાપ Page 30 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy