________________
કહ્યું છે. સંસારની સારામાં સારી ચીજોની ઇચ્છા પાપના ઉદયથી જ થાય છે. આપણને કેવી કેવી ઇચ્છાઓ થાય છે તેનું વર્ણન થાય તેમ છે ? તે સઘળીય ઇચ્છાઓનો નાશ કરવાનું સામર્થ્ય તપમાં છે. તે તપ ખરેખર જો આત્મામાં પરિણામ પામે તો સંસાર તેના માટે ભયંકર નથી અને મોક્ષ નજીક
છે.
આ તપ સુલભ બનાવવા સઘળી તૃષ્ણા અને ઇચ્છાઓનો નાશ કરવા અભ્યાસ કેળવો જરૂરી છે. આત્મા તૃષ્ણા-ઇચ્છાથી પર બને, આત્મ સ્વરૂપમાં રમણતા કરે અને આજ્ઞા મુજબ તપ ધર્મનું આરાધન કરે તો તેનો વહેલામાં વહેલો નિસ્તાર થાય. સૌ આ વાત સમજી તે મુજબ કરવા પ્રયત્નશીલ બનો તે જ શુભાભિલાષા.
Page 31 of 77