SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૩૪ શ્રાવણ વદિ-૭ ને ગુરૂવાર, તા. ૨૪-૮-૭૮ સુ. રમણલાલ વજેચંદને બંગલે.] અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં તપનું ઊંચામાં ઊંચુ સ્થાન છે. કેમકે, વિના તપે કર્મનિર્જરા થતી નથી. “બાહ્ય તપનો હેતુ ઇન્દ્રિયો અને કષાયો પર વિજય મેળવવાનો છે.” આત્મા જો ઇન્દ્રિયો અને કષાયો પર વિજય મેળવે નહિ તો ઊંચામાં ઊંચો તપ, જે સુંદર કોટિનું માનસિક ધ્યાન છે તેને તે પામી શકતો નથી. “મનને સંસારથી ઉઠાવી મોક્ષમાં સ્થાપન કરવું તે જ સાચું ધ્યાન છે.” જ્ઞાની કહે છે કે સમ્યગ્દષ્ટિ આત્માનું શરીર સંસારમાં હોય છે અને મન મોક્ષમાં હોય છે. દુનિયાની કોઇપણ પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેનું મન તે પ્રવૃત્તિમાં હોતું જ નથી. “આ સંસાર નથી જોઇતો અને મોક્ષ જ જોઇએ છે.' આવું મન બનાવવું તે જ ઊંચામાં ઊંચી કોટિનું ધ્યાન છે. આ ધ્યાનના જ બળે વાંસડા પર નાચતા નાચતા, રાજગાદી પર બેઠા બેઠા, સ્ત્રીને શણગારતા શણગારતા કેવળજ્ઞાન પામ્યાના દાખલા આપણે ત્યાં છે. તે જાતિનું ધ્યાન મેળવવા આખા સંસારથી મન ઉઠાવવું પડે. આ ક્યારે બને ? ઇન્દ્રિયો અને કષાય આપણે આધીન બને તો. કોઇપણ ચીજ પર મન ચોંટે જ નહિ. ક્રોધ-માન-માયા-લોભ આપણે કરવા હોય તો જ કરીએ; નહિ તો નહિ જ. આ વિષય અને કષાય પર કાબૂ મેળવવા જ શ્રી જૈનશાસનમાં બાહ્યતપનો મહિમા ઘણો છે. ઘણા ભાગ્યશાળી આત્માઓ ૮-૧૬-૩૦ ઉપવાસાદિ બાહ્યતપ કરી શાસનને દીપાવે છે. જો તે આત્માઓએ ઇન્દ્રિય-કષાય પર વિજય મેળવ્યો હોય તો તે તપ લેખે લાગે છે અને જો તે ઇન્દ્રિય-કષાય પર વિજય ન મેળવ્યો હોય તો તે તપ કાયકષ્ટ માત્ર જ છે, તે નિર્જરાનું કારણ બનતો નથી. મનને મોક્ષમાં જ રાખવું અને સંસારની પ્રવૃત્તિ કરવા છતાં, તેમાં પેસવા ન દેવું તે સહેલું કામ છે ? ઇન્દ્રિય અને કષાય પર વિજય મેળવ્યા વિના બને તેમ નથી. અને તે બે પર વિજય મેળવવા બાહ્યતપ પણ જરૂરી છે. “રસના” પર વિજય ન આવે તો આયંબિલ તપ ન થાય. આયંબિલ એટલે જ રસનાનો ત્યાગ. છ માંથી એક વિગઇ વપરાય નહિ. તે વિગઇના ત્યાગપૂર્વક જીવવું અને ઇન્દ્રિય-કષાય પર વિજય મેળવવો છે; તે ધ્યેય ન હોય તો વર્ષો સુધી-મહિનાઓ સુધી આયંબિલ તપ કરનારા ઇન્દ્રિયો અને કષાય પર કાબૂ મેળવી શકતા નથી. ઇન્દ્રિયો અને કષાય પર વિજય મેળવવા શ્રી વીતરાગના શાસનમાં ભાવપૂર્વક બાહ્યતાનું વિધાન છે. પહેલા શ્રી તીર્થંકર દેવના શાસનમાં ૧૨ મહિના, ચરમ શ્રી તીર્થપતિના શાસનમાં છ મહિના અને બાવીશ શ્રી તીર્થંકર દેવોના શાસનમાં આઠ મહિનાના ઉપવાસ જીવો કરી શકે છે. માટે જ તે બાહ્યતાનો ઘણો મહિમા છે અને વિષય-કષાય પર વિજય મેળવવાનું અદ્ભુત સાધન આ બાહ્યત: છે. માટે આ તપનો મહિમા સમજી જે ભાગ્યશાળીઓ આ તપ કરે છે તેમનું દન છે. જે ભાગ્યશાળીઓ શક્તિના અભાવે તેવા પ્રકારનો તપ નથી કરી શકતા; પણ તેવો તપ કરવાના ભાવ રાખે તે ય પ્રશંસનીય છે. આ તપ કરી એ પરિણામ મેળવવાનું છે કે, મન સંસારમાંથી ઊઠાવી મોક્ષમાં કરવાનું છે. Page 32 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy