________________
મોક્ષ જ સાધવો છે, તે કામ સાધીએ તો બેડો પાર થઇ જાય. તમારું મન ક્યાં છે ? મોક્ષમાં કે સંસારમાં ? મન મોક્ષ તરફ જાય તો પરમાત્મા તરફ ધ્યાન જાય. આપણને ભગવાન શ્રી અરહિંતદેવો શા માટે ગમે છે ? મોક્ષમાર્ગ બતાવ્યો માટે ને ? એ જ તેમનો મોટામાં મોટો ઉપકાર છે માટે ને ? શ્રી સિદ્ધ પરમાત્માઆ કરતાંય પહેલું પદ શા માટે શ્રી અરિહંત પરમાત્માનું મૂક્યું ? શ્રી સિદ્ધ પરમાત્માઓ સઘળાં ય કર્મોથી રહિત છે જ્યારે શ્રી અરિહંત પરમાત્મા તો ચાર જ કર્મોથી રહિત છે. છતાં શ્રી નવકાર મહામંત્રમાં પ્રથમ પદે કેમ ? મોક્ષમાર્ગ બતાવ્યો માટે. શ્રી સિધ્ધપણું એ શ્રી અરિહંતપણાનું ફળ છે એમ શાત્રે કહ્યું છે. કેમકે શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલા મોક્ષમાર્ગે ચાલી મોક્ષે ગયા છે.
શ્રી અરિહંત પરમાત્મા પર પ્રેમ ન જાગે તો આ સંસાર પરથી મન ન ઊઠે. આ સંસાર પરથી મન ન ઊઠે અને તપ કરે તોય સંસાર વધે, આ ઇન્દ્રિયો અને કષાય પર કાબૂ આવે નહિ. તપ કરનારે રોજ આત્માન પૂછવાનું કે ઇન્દ્રિય અને કષાય પર કાબૂ આવ્યો છે ? જો તે બે પર કાબૂ નથી તો કાબૂ મેળવવા પ્રયત્ન કર.
શાએ કહ્યું છે કે, ક્રોધ તે તપનું અજીર્ણ છે, અભિમાન એ જ્ઞાનનું અજીર્ણ છે. અજીર્ણ શાથી ? શ્રી અરિહંત પરમાત્મા ન ગમ્યા, તેમનો મોક્ષમાર્ગ ન ગમ્યો માટે. શ્રી અરિહંત દેવને અને મોક્ષને માન્યા વિના તપ કરે તો તે લેખે લાગતો નથી.
મન સંસારથી ઉઠાડી મોક્ષે સ્થાપિત કરવા ય આ તપ કરે તો ય ઘણી નિર્જરા થાય. આ રીતે તપનો મહિમા સમજી, મનને સમજાવી સમજાવીને ઇન્દ્રિય-કષાયથી દૂર કરી, મોક્ષમાં જ સ્થાપિત કરવાનો જે કોઇ પ્રયત્ન કરે તે ઝટ મોશે પહોંચે છે. સૌ કોઇ આ સમજી મોક્ષને મેળવવા જ યત્નશીલ બનો અને વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.
Page 33 of 77