Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 31
________________ કહ્યું છે. સંસારની સારામાં સારી ચીજોની ઇચ્છા પાપના ઉદયથી જ થાય છે. આપણને કેવી કેવી ઇચ્છાઓ થાય છે તેનું વર્ણન થાય તેમ છે ? તે સઘળીય ઇચ્છાઓનો નાશ કરવાનું સામર્થ્ય તપમાં છે. તે તપ ખરેખર જો આત્મામાં પરિણામ પામે તો સંસાર તેના માટે ભયંકર નથી અને મોક્ષ નજીક છે. આ તપ સુલભ બનાવવા સઘળી તૃષ્ણા અને ઇચ્છાઓનો નાશ કરવા અભ્યાસ કેળવો જરૂરી છે. આત્મા તૃષ્ણા-ઇચ્છાથી પર બને, આત્મ સ્વરૂપમાં રમણતા કરે અને આજ્ઞા મુજબ તપ ધર્મનું આરાધન કરે તો તેનો વહેલામાં વહેલો નિસ્તાર થાય. સૌ આ વાત સમજી તે મુજબ કરવા પ્રયત્નશીલ બનો તે જ શુભાભિલાષા. Page 31 of 77

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77