Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ [૨૦૩૩ ભા.સુ. ૭ ને સોમવાર, શ્રીમતી લલિતાબેન લલ્લુભાઇ ઝવેરી પૌષધશાળા, છાપરીયાશેરી, સુરત. પૂજય મુનિરાજ શ્રી કીર્તિભૂષણવિ.મ. નાં ૪૫ ઉપવાસની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે આપેલ પ્રાસંગિક:] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં મોક્ષની આરાધના માટે સંવર અને નિર્જરા નામના ધર્મનો ઉપદેશ પ્રધાન છે. ભગવાને માવેલી સઘળીયે સમ્યક ક્રિયાઓ, સઘળાય સમ્યફગણો, એ બધા મોહનીયાદિ કર્મોના આશ્રવને રોકનારા છે અને સંવર અને નિર્જરા ધર્મની. આરાધના કરાવનારા છે. પરંત આત્મા પર લાગેલા કર્મોને કાઢવા માટે ભગવાનના શાસનમાં તપ નામનો ઊંચામાં ઊંચો ધર્મ જ્ઞાનીઓએ ઉપદેશ્યો છે. તેના દ્વારા જ ઊંચામાં ઊંચી નિર્જરાની સાધના થઇ શકે છે. સંપૂર્ણ સંવર અને સંપૂર્ણ નિર્જરા તો ચૌદમે ગુણસ્થાનકે સાધી શકાય છે. તેને પામવાને માટે બાર પ્રકારનો તપ જૈન શાસનમાં વિહિત છે. એ તપ ધર્મમાં અનશન નામનાં તપનો પહેલો નંબર છે. કેમકે જીવ અશનમાં જ પડેલો છે. ખાધા (આહાર) વિના ચાલે જ નહિ, એવી જીવની અનાદિની કુટેવ છે. જીવ ઉત્પન્ન થાય કે તરત જ તેને પહેલો આહાર જોઇએ છે. આહાર નામની સંજ્ઞા એવી ભયંકર છે કે, તે આખા જગતને રખડાવે છે. એ આહારનો સંપૂર્ણ ત્યાગ તેનું નામ જ અનશન છે. ! ભગવાનના શાસનમાં છ મહિનાના અનશનનો વિધિ છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ છા મહિનાનો તપ કર્યો હતો. માટે તેમના શાસનમાં છ મહિનાના તપનો વિધિ છે. ભગવાન શ્રી કષભદેવસ્વામીના શાસનમાં બાર મહિનાના તપનો અને બાકીના બાવીસ શ્રી તીર્થકર પરમાત્માઓના શાસનમાં આઠ મહિનાના તપનો વિધિ છે. બધા આત્માઓની આ અનશન કરવાની શક્તિ ન હોય, તેવા આત્માઓ માટે ઊણોદરી રસત્યાગ, કાયકલેશ, પરિસંલીનતા અને વૃત્તિસંક્ષેપ નામનો બાહ્યતપ અને પ્રાયશ્ચિત વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનો અત્યંતર તપ ઉપદેશેલ છે. આ બધો તપ મહાનિર્જરાનું કારણ છે. મુનિરાજશ્રી કીર્તિભૂષણ વિજયજીએ ૮૩મી ચાલુ ઓળી પર આ દોઢ માસનો તપ કર્યો છે. અને આજે પારણું પણ તેઓ આયંબીલથી જ કરવાના છે. આ રીતિએ જો આત્મા બળવાન થઇ જાય, અશનનો વિરોધી થઇ જાય તો તેનું ઘણું કલ્યાણ થઇ જાય. જેણે અણાહારી બનવું હશે, તેને અશનના વિરોધી બનવું જ પડશે. અશનના વિરોધી બન્યા વિના નહિ ચાલે. “સઘળાંય પાપોનું મૂળ આહાર છે. આહાર જ સંસારમાં રખડાવનાર છે. આહારથી વેદ વધે છે. આહારથી સંજ્ઞા વધે છે, આહારથી સઘળાં પાપો વધે છે.” એક આહાર સંજ્ઞા જીતાઇ જાય તો બાકીની બધી સંજ્ઞાઓ મરવા જ પડેલી છે. પરિગ્રહ, મિથુન અને ભય એ ત્રણેય સંજ્ઞા નાશ પામે છે. આહાર સંજ્ઞા જીતાઇ ગયા પછી પરિગ્રહ સંજ્ઞાનું શું કામ ? પછી તો આત્મા એવો Page 23 of 77

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77