Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 106
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભ્રાંતિખંડન દષ્ટાંત ] [ ૬૯ જેમ-પૃથ્વી ઉપર જ્યાં કૂવો ખોદવામાં આવે ત્યાં જ પાણી નીકળે છે, તે જ પ્રમાણે તન-મન-ધન-વચનાદિકની અંદર તથા તનમન-ધન-વચનાદિકના જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે તેમાં જ્ઞાનદષ્ટિથી આકાશની માફક વ્યાપક સ્વસમ્યજ્ઞાનમયબ્રહ્મને કોઈ શોધશે તો તે પ્રગટ પ્રસિદ્ધ થાય છે. આ જો આ શરીરપિંડથી સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા તન્મયરૂપ હોત તો કદાચિત્ કોઈ પ્રકારથી કોઈપણ (જીવ) મરત નહિ, તથા જે લોકાલોક-જગત-સંસા૨ દેખાય છે તેનાથી જો એ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા તન્મયરૂપ હોત તો તે હરકોઈને દેખાત. અહો ! અહો ! અહો! આવા અપૂર્વ વિચારની પૂર્ણતા શ્રી સદ્દગુરુના ચરણના શરણ વિના નહીં થાય. જેમ જ્યાં સુધી પક્ષી બે પાંખોથી તન્મયી છે ત્યાં સુધી તો તે પક્ષી અહીં-તહીં ભમે છે–ઉડે છે- બેસે છે પરંતુ જે સમયે એ પક્ષીની બંને પાંખો ખંડન-નિર્મૂળ થઈ જાય તે વેળા તે પક્ષી અહીં-તહીં ભ્રમણરહિત થઈ જ્યાંનુ ત્યાં સ્થિર અચળ રહે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી જીવને નિશ્ચય-વ્યવહાર (રૂપ બે પક્ષોની ) તન્મયતા છે-અવગાઢતા છે, ત્યાં-સુધી તે ચાર ગતિ અને ચોરાશીલાખયોનિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ જે સમય જીવને કાલલબ્ધિ પાચક દ્વારા તથા શ્રી સદ્દગુરુ ઉપદેશ દ્વારા નિશ્ચય વ્યવહારરૂપ બે પક્ષનું ખંડન-નિર્મૂળ થઈ જતાં તે જ સમયે ચારગતિ ચોરાશી લાખ યોનિ પરિભ્રમણરહિત થઈ તે જ્યાં નો ત્યા જ અચળ સ્થિર રહે છે. જેમ અડદ અને મગની બે દાળ થઈ ગયા પછી તે મળતી નથી તથા તેને વાવે તો તે ઉગતી નથી, એ જ પ્રમાણે શ્રીગુરુપ્રસાદથી જીવાજીવની જ્યાં સર્વથા પ્રકારથી ભિન્નતા છે ત્યાં જીવાજીવની તન્મયતા-એકતા નથી અને એ બન્નેની એકતાથી જે સંસાર ઉત્પન્ન થતો હતો તે હવે થવાનો નથી. જેમ આંધળાના સ્કંધ-(ખંભા ) ઉપર પાંગળો બેઠો છે. હવે, અહીં વિચાર કરો –જુઓ તો આંધળો તો ચાલે છે અને પાંગળો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153