Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 144
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મપ્રાપ્તિનો પ્રકાર ] [ ૧૦૭ હું, તું, આ, તે સોડકું હું તથા હું હું ઇત્યાદિ શબ્દો વચનોના આદિ અંત-મધ્ય જે છે તે પરમાત્મા છે. તે શુદ્ધ છે, તથા ‘આ, હું, તું, તે, સો ં હું હું' છે તે અશુદ્ધ છે. જેમ સૂર્ય સામે-સન્મુખ અંધકાર નથી તેમ એ કેવળજ્ઞાનરૂપ પરમાત્માની સન્મુખ એ ‘હું, તું, તે, આ, સોડ ં, હું, હું' આ બધાં કોઈ નથી, જે કાળમાં સૂર્ય અને અંધકારનો મેળ થશે તે કાળમાં ૫૨માત્માનો અને આ ‘હું, તું, તે, આ, સોડઠું, હું હું' નો મેળ થશે. ૫૨માત્મા કેવળજ્ઞાની છે અને આ (વિકલ્પો ) અજ્ઞાની છે. જ્ઞાન અને અજ્ઞાનનો મેળ કદી થયો પણ નથી, થશે પણ નહિ તથા છે પણ નહિ, એવો કેવળજ્ઞાની હું છું. ઠીક છે, જેવું અન્ન ખાય, તેને તેવો જ ઓડકાર આવે. સૂર્ય અંધકારની ઇચ્છા પણ વૃથા જ કરે છે, તથા સૂર્ય અંધકારની ઇચ્છા પણ વૃથા જ કરે છે. હજારો મણ ઘઉં-ચણા ખર્ચાઈ જાય છે અને ફરી પાછા હજારો લાખો મણ ઉત્પન્ન થઈ જાય છે છતાં ન તો બીજનો નાશ થાય છે કે ન તો ફળનો નાશ થાય છે. એક જાતના લાલ રત્નનો ઢગલો દૂરથી એક સરખો અગ્નિના ઢગલા જેવો દેખાય છે પરંતુ તે રત્નરાશિનાં રત્ન ન્યારાં ન્યારાં છે. અતિશય અમૃતનો સમુદ્ર ભર્યો છે પણ આખા સમુદ્રનું જળ કોઈથી પીધું જતું નથી, માટે પોત પોતાની તૃષા પ્રમાણે તે જળ પીને સંતુષ્ટ રહો! ( ચોપાઈ ) ધર્મદાસ ક્ષુલ્લક મો નામ, રચ્યા જ્ઞાન અનુભવકો ધામ; મન માની સો કહી વખાણ, પૂરણ ક૨ી સમજોજી સુજાણ. ઇતિ શ્રી ક્ષુલ્લક બ્રહ્મચારી ધર્મદાસ રચિત દષ્ટાંતસંગ્રહ સંપૂર્ણ શ્રી રસ્તુ! શ્રી અરિહંતાણં જયતિ. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153