________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિમ: સિદ્ધેશ્ય: ભેદજ્ઞાન વિવરણ
(ચોપાઈ ) પ્રથમ હી ભેદજ્ઞાન જો ભાવે,
સોહી શિવસુંદરી પદ પાવે. તાતે ભેદજ્ઞાન મેં ભાવું,
પરમાતમ પદ નિશ્ચય પાઉં ક્ષુલ્લક ધર્મદાસ અબ બોલે.
દેશવચનિકામેં નિત ખોલે. વાંચો પઢો ભાવ મન લાઈ, તાતે મિલે મોક્ષ ઠકુરાઈ.
(દોહરો) ભેદજ્ઞાન હી જ્ઞાન હૈ, બાકી બૂરો અજ્ઞાન,
ધર્મદાસ સાચું લખે ભમરાજ તું માન. નિશ્ચયથી એક દ્રવ્યનું બીજાં દ્રવ્ય કોઈ સંબંધી નથી, કારણકે તે દ્રવ્ય છે તે ભિન્ન ભિન્ન પ્રદેશરૂપ છે માટે એ (બન્નેમાં) એક સત્તાની અપ્રાપ્તિ છે. દ્રવ્ય દ્રવ્યની સત્તા ન્યારી ન્યારી છે. વળી એક સત્તા નથી એવાં અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યની સાથે આધાર-આધેય સંબંધ પણ નથી માટે દ્રવ્યને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આધારઆધેય સંબંધ બિરાજે છે, તેથી જ્ઞાન આધેય (છે) તે તો જાણપણારૂપ પોતાના સ્વરૂપ આધારમાં જ પ્રતિષ્ઠિત છે, કારણકે જાણવાપણું છે તે જ્ઞાનથી અભિન્નભાવ છે -ભિન્નપ્રદેશરૂપ નથી, તેથી જાણનક્રિયારૂપ જ્ઞાન છે તે જ્ઞાનમાં જ છે, તથા ક્રોધાદિક છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com