Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 148
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન વિવરણ ]. [ ૧૧૧ તે ક્રોધરૂપ ક્રિયા ક્રોધપણાસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે કારણ કે-ક્રોધપણારૂપ ક્રિયા ક્રોધાદિકથી અપૃથભૂત છે-અભિન્નપ્રદેશ (રૂપ) છે. માટે ક્રોધરૂપ ક્રિયા ક્રોધાદિકમાં જ હોય છે. વળી ક્રોધાદિકમાં અથવા કર્મ-નોકર્મમાં જ્ઞાન નથી કારણ કે જ્ઞાનને અને ક્રોધાદિકને તથા કર્મ-નોકર્મને પરસ્પર સ્વરૂપનું અત્યંત વિપરીતપણું છે તેનું સ્વરૂપ એક નથી તેથી (તેમાં) પરમાર્થરૂપ આધાર-આધેય સંબંધનું શૂન્યપણું છે. વળી જેમ જ્ઞાનનું જાણનક્રિયારૂપ જાણપણું સ્વરૂપ છે તેમ (તેનું) ક્રોધરૂપ ક્રિયાપણા સ્વરૂપ નથી તથા જેમ ક્રોધાદિકનું ક્રોધપણા આદિ ક્રિયાપણું સ્વરૂપ છે તેમ (તેનું) જાણનક્રિયારૂપ સ્વરૂપ નથી. કોઈપણ પ્રકારથી જ્ઞાનને ક્રોધાદિક્રિયારૂપ પરિણામસ્વરૂપ સ્થાપી શકાતું નથી તેથી જાણનક્રિયાને અને ક્રોધરૂપક્રિયાને સ્વભાવના ભેદથી પ્રગટ (ભિન્ન) પ્રતિભાસમાનપણું છે. અને સ્વભાવના ભેદથી જ વસ્તુનો ભેદ છે એવો નિયમ છે, માટે જ્ઞાનને અને અજ્ઞાનસ્વરૂપ ક્રોધાદિકને આધારઆધેયભાવ નથી. અહીં દષ્ટાંતથી વિશેષ કહે છે જેમ આકાશ દ્રવ્ય એક જ છે તેને પોતાની બુદ્ધિમાં સ્થાપી (તેમાં) આધાર-આધેયભાવ કલ્પીએ તો આકાશ સિવાય અન્ય દ્રવ્યના અધિકારરૂપ આરોપણનો તો નિરોધ થયો, તેથી બુદ્ધિને ભિન્ન આધારની અપેક્ષા તો ન રહી. હવે જ્યારે ભિન્ન આધારની અપેક્ષા ન રહી ત્યારે બુદ્ધિમાં એ જ કર્યું કે જે આકાશ છે તે એક જ છે, અને તે આકાશમાં જ પ્રતિષ્ઠિત છે પણ આકાશનો આધાર અન્ય દ્રવ્ય નથી, પોતે પોતાનો આધાર છે. એ પ્રમાણે ભાવના કરવાવાળાને અન્યનો અન્યને આધાર-આયભાવ પ્રતિભાસતો નથી; એ જ પ્રમાણે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપી આધાર-આધેયભાવ કલ્પવામાં આવે તો ત્યાં બાકીનાં અન્ય દ્રવ્યોનો આરોપ કરવાનો નિરોધ થયો અને તેથી બુદ્ધિને ભિન્ન આધારની અપેક્ષા રહેતી નથી અને જ્યારે ભિન્ન આધારની અપેક્ષા જ બુદ્ધિમાં ન રહી ત્યારે એક જ્ઞાન જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ઠર્યું. એ પ્રમાણે ભાવના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153