________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન વિવરણ ].
[ ૧૧૩ છે માટે આત્માને અને શબ્દ–બંધાદિકને ભેદ છે, તન-મન-ધન-વચન એ (પણ) આત્મા નથી, યથા
(દોહરો) તનતા મનતા વચનતા, જડતા જડસેં મેલ; લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવકા ખેલ.
-સમયસાર નાટક. અર્થાત્ આત્મા અજીવ નથી માટે આત્માને અને એ તનઅનાદિકને ભેદ છે.
| ભાવાર્થ:- જેમ સૂર્યના પ્રકાશને અને અમાવસ્યાની મધ્યરાત્રિના અંધકારને અત્યંત ભેદ છે, તે જ પ્રમાણે આત્મા અને અનાત્માને ભેદ છે; તન-મન-ધન-વચન કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને અંતઃકરણ કોઈ અન્ય છે તથા આત્મા કોઈ અન્ય છે; તું-હું-આ-તે અને સોડવું એ કોઈ અન્ય છે તથા આત્મા કોઈ અન્ય છે; યોગ-યુક્તિ-જગત-લોકઅલોક કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; બંધ-મોક્ષ-પાપપુણ્ય કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; જૈન, વિષ્ણુ, બૌદ્ધ, નૈયાયિક-મીમાંસકાદિ, વેદાતિક કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે; તેરાપંથ, મેરાપંથ, તેનોપંથ, આનોપંથ, વીસપંથ, ગુમાનપંથ, નાનકપંથ દાદુપંથ અને કબીરપંથ ઇત્યાદિ પંથ એ બધા એક પૃથ્વી ઉપર છે તે પૃથ્વી કોઈ અન્ય છે, તથા આત્મા કોઈ અન્ય છે; જૈનમતવાળા, વિષ્ણુમતવાળા, શિવમતવાળા, વેદાંતમતવાળા, તેરાપંથમતવાળા, વીસપંથમતવાળા, અને ગુમાનપંથીમતવાળા એ બધા મતવાળા જે મદને પીને મતવાળા થયા છે તે મદ કોઈ અન્ય છે અને આત્મા કોઈ અન્ય છે.
(દોહરો) ભેદજ્ઞાનસે ભ્રમ ગયો, નહિ રહી કુછ આસ;
ધર્મદાસ લુલ્લક લિખે, અબ તોડ મોકી પાસ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com