Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 135
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates TA ૯૮ ] [ સમ્યજ્ઞાન દીપિકા કળશ પાણીના અન્ય સ્થાનમાંથી ભરી લાવીને નાખો તોપણ સમુદ્ર તો જેવો ને તેવો તે જ છે. સ્ત્રી વિધવાપદને પ્રાપ્ત થાય અને તે ફકત કાજલટીકી-નથની ન પહેરે તથા અન્ય સર્વ આભૂષણ પહેરેલાં રાખે તો પણ તેને વિધવા જ કહેવા યોગ્ય છે. મોતી, સમુદ્રના પાણીમાં થાય છે પણ તે મોતીને સો વર્ષ સુધી તે પાણીમાં નાખી રાખો તોપણ તે મોતી ગળતું નથી પરંતુ તે મોતી હંસના મુખમાં જતાંની સાથે જ ગળી જાય છે. સૂર્ય છે તે સૂર્યને વ્યર્થ જ ટૂંઢે છે તથા આંધળો છે તે અંધકારથી અલગ થવાની ઇચ્છા વૃથા જ કરે છે. શાસ્ત્રમાં લખે છે કે-મુનિ બાવીસપરિષહું સહન કરે છે, તેર પ્રકારના ચારિત્રને પાળે છે, દશલક્ષણ ધર્મને પાળે છે, બાર ભાવનાને ચિંતવે છે, બાર પ્રકારના તપ તપે છે, ઇત્યાદિ મુનિ કરે છે. હવે અહીં આવો વિચાર આવે છે કે મુનિ તો એક અને પરિષહું બાવીસ, ચારિત્ર તેર પ્રકારનું, દશલક્ષણધર્મ વા એક ધર્મનાં દશ લક્ષણ, બાર તપ અને બાર ભાવના ઇત્યાદિક બીજી ઘણી ભૂમિકા. મુનિ કોઈ અન્ય છે અને બાવીસ પરિષહું કોઈ અન્ય છે. બાવીસ પરિષહુને તથા મુનિને અગ્નિ-ઉષ્ણતાવત્ વા સૂર્ય-પ્રકાશવત્ મેળ નથી, એ જ પ્રમાણે તેર પ્રકારના ચારિત્રને તથા મુનિને અગ્નિ-ઉષ્ણતાવત્ વા સૂર્યપ્રકાશવત્ મેળ નથી, એ જ પ્રમાણે દશલક્ષણધર્મ, બાર તપ, બાર ભાવના અને મુનિને અગ્નિ-ઉષ્ણતાવત્ વા સૂર્ય-પ્રકાશવત્ મેળ નથી. આકાશમાં સૂર્ય છે તેનું પ્રતિબિંબ ઘી-તેલની તત (ગરમ) કઢાઈમાં પડે છે તો પણ તે સૂર્યના પ્રતિબિંબનો નાશ થતો નથી. કાચના મહેલમાં સ્થાન પોતાના જ પ્રતિબિંબને દેખીને ભસી ભસીને મરે છે. સ્ફટિકની ભીંતમાં હાથી પોતાની પ્રતિછાયા દેખીને પોતે તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153