Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 127
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ] [ સમ્યજ્ઞાન દીપિકા એ જ આત્મા અસ્તિ-નાસ્તિત્વનયથી સ્વચતુષ્ટય-પરચતુષ્ટયના ક્રમવડે અસ્તિ-નાસ્તિરૂપ છે, જેમ એ જ બાણ સ્વચતુષ્ટયપરચતુષ્ટયની ક્રમપૂર્વક વિવક્ષાથી અસ્તિ-નાસ્તિરૂપ હોય છે. પ એ જ આત્મા અવક્તવ્યનયથી એક જ સમયમાં સ્વચતુષ્ટયપરચતુષ્ટય વડે અવક્તવ્ય છે, જેમ એ જ બાણ સ્વ-પરચતુષ્ટય વડે અવક્તવ્ય સાધે છે. ૬ એ જ આત્મા અસ્તિ અવક્તવ્યનયથી સ્વચતુષ્ટયથી તથા એક જ વાર સ્વ-પરચતુષ્ટયથી અસ્તિ અવક્તવ્યરૂપ બાણના દષ્ટાંતથી સમજવું. ૭ નાસ્તિ અવક્તવ્યનયથી એ જ આત્મા, પરદ્રવ્ય-ક્ષેત્ર કાળભાવથી અને એક જ સમયે સ્વ-પરચતુષ્ટયથી નાસ્તિઅવક્તવ્યરૂપ બાણના દષ્ટાંતથી સમજવો ૮ અસ્તિ-નાસ્તિ અવક્તવ્યનયથી એ જ આત્મા સ્વચતુષ્ટયપરચતુષ્ટય વડે તથા એક જ વાર સ્વ-૫૨ ચતુષ્ટયવડે બાણની માફક અસ્તિ-નાસ્તિ અવક્તવ્યરૂપ સિદ્ધ થાય છે. ૯ વિકલ્પનયથી એ જ આત્મા, ભેદ સહિત છે, જેમ એક પુરુષ, કુમાર બાળક, યુવાન અને વૃદ્ધના ભેદોથી સવિકલ્પ થાય છે. ૧૦ અવિકલ્પનયથી એ જ આત્મા અભેદરૂપ છે, જેમ એ જ પુરુષ અભેદરૂપ છે. ૧૧ નામનયથી એ જ આત્મા શબ્દબ્રહ્મદ્વારા નામ લઈને કહેવામાં આવે છે. ૧૨ સ્થાપનાનયથી એ જ આત્માને પુદ્ગલના આલંબનદ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જેમ મૂર્તિક પદાર્થનું સ્થાપન કરવામાં આવે છે. ૧૩ દ્રવ્યનયથી એ જ આત્મા, અતીત-અનાગત-પર્યાયવડે કહેવામાં આવે છે, જેમ કે શ્રેણિકરાજા તીર્થંકર મહારાજ છે. ૧૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153