Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 118
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભ્રાંતિખંડન દષ્ટાંત ] [ ૮૧ જેમ જળ અગ્નિનો સંયોગ પામીને ગરમ છે પરંતુ તે ગરમ છે નહિ. કારણકે એ જ ગરમ જળને અગ્નિ ઉપર નાખે-પટકે તો અગ્નિ ઉપશમ થઈ જાય છે-બૂઝાઈ જાય છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન છે તે ક્રોધાદિ અગ્નિનો સંયોગ પામીને સંતત (ગરમ) થઈ જાય છે પરંતુ (ખરી રીતે તે) સંતત થતું નથી, કારણ કે એ જ સ્વસમ્યજ્ઞાનને ક્રોધાદિક અગ્નિ ઉપર વા જગત-સંસાર ઉપર નાખે-પટકે તો ક્રોધાદિક અગ્નિ તથા જગત-સંસાર ઉપશમ પામી જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ અને આકાશ સર્વત્ર છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન સર્વ ક્ષેત્ર-કાળ-ભવ-ભાવાદિક છે ત્યાં નિશ્ચયનયથી છે. સ્વસમ્યજ્ઞાનસ્વભાવમાં રાત્રિ-દિવસનો ભેદ સંભવતો નથી તેથી સ્વસમ્યજ્ઞાનનું નામ સરોદય (સદા ઉદયરૂપ) સૂર્ય છે. જેમ બાળક છોકરો-છોકરી બાળઅવસ્થામાં ગુડાગુડીનો ( ઢીંગલા ઢીંગલીનો) ખેલ બનાવીને મૈથુનાદિભોગપભોગ આભાસમાત્ર કરે છે; પરંતુ યુવાન અવસ્થા વખતે સાક્ષાત્ મૈથુનાદિભોગપભોગ એ જ છોકરા-છોકરીને નિશ્ચયથી પ્રાપ્ત થઈ જાય છે ત્યારે પૂર્વે કરેલા ગુડગુડીના ખેલને અસત્ય જાણીને તેને એક ઠેકાણે સમેટી લઈને રાખી દે છે; એ જ પ્રમાણે કોઈને ગુરુઉપદેશ દ્વારા કાળલબ્ધિ પરિપાક થતાં સ્વસ્વરૂપ પરસ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનસ્વભાવની અચલતા-પરમાવગાઢતા થવા યોગ્ય હતી તે થઈ ચૂકી હવે તે ધાતુ પાષાણ-કાષ્ટાદિકની મૂર્તિ જ્યાંની ત્યાં જ બીજા બાળક જેવાઓના માટે રાખી દે છે. જેમ સમુદ્રનું જળ ખારું છે, પરંતુ એ જ સમુદ્રના કિનારે કૂવો ખોદવામાં આવે તો મીઠું પાણી નીકળે છે, એ જ પ્રમાણે શ્રી ગુરુઉપદેશ પામીને કોઈ સંસારક્ષારના સમુદ્રના કિનારે ખોદશે તો તેને સ્વસમ્યજ્ઞાનરૂપ મીઠા જળનો લાભ થશે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153