Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 197
________________ શ્રીમદ્ ક્ષાયિકસમ્યગ્દષ્ટા અખંડ સ્વરૂપજ્ઞાની અને ઉત્કૃષ્ટ અપ્રમત્તયોગી હતા. આ વાતની ખાત્રી કરવા સર્વપ્રથમ એમની આત્મચર્યાનું નિરીક્ષણ કરવા, ચાલો ! આપણે એમના વચનામૃત ગ્રન્થમાં પ્રવેશીએ : “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃશંક છે, ગ્રન્થિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે - પત્રાંક-૧૭૦. છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે – પત્રાંક-૧૮૭. આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે - પત્રાંક-૨૧૪. એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમ-સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રાચિમાત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ પ્રિય છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ - પત્રાંક-૨૫૫. આત્મા બ્રહ્મસમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. પત્રાંક-૨૯૧. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સમ્બન્ધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ તેમજ બીજાં પણ ખાવા-પીવા વિગેરેનાં પ્રવર્તન માંડ-માંડ કરી શકીએ છીએ.... ચિત્તનો પણ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વર્તે છે. સમયેસમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. - પત્રાંક-૩૧૩. - “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયઃ નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી... શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું - એમ અમને દઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું તે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએસાચા છીએ - પત્રાંક-૩૧૨. ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય ૧૮૪

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254