Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 222
________________ અણસારો નહીં !! “જ્ઞાનીનું પારખું ખાટલે ને પાટલે કહેવતવાળી તેમની આ અદ્ભુત દેહભિન્ન આત્મજ્ઞાનની અનુભવદશા અમે દંગ થઈ સગી આંખે નિહાળતા રહ્યાં ! તેમાંથી દેહાતીત આત્મસિધ્ધિ-દશા પ્રાપ્ત કરવાનો પ્રત્યક્ષ પાઠ અમે સૌ આશ્રમ સ્થા જનો શીખવા મથતા રહ્યા. તેમનું સ્વાથ્ય ઉત્તરોત્તર કથળતું જ રહ્યું. છતાં, આવી શરીરાવસ્થા વચ્ચે પણ એક ચમત્કારવત્ તેઓ પૂર્વવત્ અપૂર્વ ઉલ્લાસ સહ પોતાનાં આત્માનુભવ ભરેલાં દુર્લભ નિત્ય પ્રવચનો આપતાં રહ્યાં. એ સઘળાયે પર્યુષણ-પ્રવચનો શ્રી કલ્પસૂત્ર પરના અને પછીનાં દસ દિવસનાં દશલક્ષણ ધર્મ” પરનાં અસાધારણ અને બંને જૈન પરંપરાનાં શ્રીમજી પછી કોઈએ પણ નહીં ચીંધેલા એવા સમન્વય ભરેલાં હતાં. અગ્રજે, આ લેખકે અને અન્ય એક સાધકમિત્રે ત્યારે ટેઈપ કરી સંઘરી રાખેલાં એ અભૂતપૂર્વ પ્રવચનો, પ્રધાનપણે શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર-દર્શિત અનુભવ માર્ગ-આત્માનુભવના પ્રાયોગિક સાક્ષાત્કાર માર્ગ દ્વારા, એકતા ઝંખતા, અનેકાંતને અનુસરતા, આરાધક જૈનો માટે ઉપકારક, ઉપાદેય અને દીવાદાંડી તુલ્ય બનવાનાં છે ભાવિમાં. અસ્તુ. સપ્તભાષી આત્મસિધ્ધિનું સંપાદન-કાર્ય ત્યારે અધુરું જ રહી ગયું. હેપી રહીને મેં બેંગલોરથી આશ્રમપ્રમુખ વડિલબંધુને તારથી બોલાવ્યા– ગુરુદેવના વધુ ને વધુ બગડતા સ્વાથ્ય અને તેમની સેવામાં ખડે પગે રહેલાં આત્મજ્ઞા માતાજી અને સારાયે સ્તબ્ધ-શા આશ્રમમાં ચાલી રહેલી “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ”ની સામુહિક મંત્ર ધુન વચ્ચે. બંધુ આવ્યા. ગુરુદેવની દેહદશા જોઈ આંસુ સારતા ચિંતિત અને ખંભિત થઈ ગયા. ૧૯૭૦ના ૧લી ઓક્ટોબરની રાતની અને બીજી ઓક્ટોબરની એ પ્રભાતની સદ્ગુરુ-સંગની તેમને, “આશ્રમ પ્રમુખને પણ વધુ વેળા ન મળી ! એક વિવેકવિહીન એવા “ગુરુભક્તિના ઠેકેદાર” ચોકીદારે તેમને ગુરુદેવના ગંભીર સ્વાથ્યની અને આશ્રમ વ્યવસ્થાની આવશ્યક એવી વાતો ગુરુદેવ સાથે કરવા દીધી નહીં. ગુરુદેવના જ, પોતાના જ પ્રમુખપણા નીચેના આશ્રમ તંત્રની જડતાથી તેઓ વધુ અંતર-વ્યથિત થયા. એકબાજુથી ગુરુદેવની સ્વાથ્ય ચિંતા, બીજી બાજુથી આ જડ-ભક્તોની અવિવેકિતાની વ્યથા. આ સારાયે પ્રસંગ વિષે અન્યત્ર નોંધાયું હોઈ અહીં આ ઉલ્લેખ એટલા પૂરતો કરવાનો કે ગુરુભક્તિની પ્રચુરતા અને ભારે ચિંતા તેમના અંતરે સમાઈ રહી. ગુરુદેવની સતત સેવા સંભાળનું મને સોંપતા, “Ashram Minus Gurudev is equal to Nothing” ના વેદના-વેણ ઠાલવતા, ત્યાં ચાલી રહેલી ૨૦૮ રાજગાથા

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254