Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 224
________________ પરંતુ સપ્તભાષી આત્મસિધ્ધિના સંપાદન-પ્રકાશનનું મહાકાર્ય તો હજુ ત્યારનું અધૂરું જ પડ્યું હતું. અમારા હંપી આશ્રમના જ ટ્રસ્ટી ગુરુબંધુઓ કે જેમણે આ આશ્રમ પ્રમુખ અગ્રજને દુઃખદ અનુભવ કરાવ્યો હતો, તેમના જડબુદ્ધિના, વિવેકવિહીન અંતરાયોથી એ વર્ષોથી રોકાઈ રહ્યું હતું. સંવેદનભર્યા કરુણાત્મા વિદુષી વિમલાતાઈએ, પૂજ્ય પંડિતજીની પણ પ્રેરણાથી, માઉન્ટ આબુ બેઠાં બેઠાં અનેક પ્રકારની સહાયતાઓ : અનુવાદ-સંપાદન માર્ગદર્શન, પુરોવચન લેખનાદિ ઉપરાંત અપાર આવશ્યક ધનરાશિ પણ મોકલાવી ! (કે જ્યારે અમારા જ આશ્રમનાં ઉપર્યુક્ત મહાનુભાવ મેનેજીંગ ટ્રસ્ટી અને સહટ્રસ્ટીઓ મુદ્રણ-પ્રકાશન ખર્ચ માત્ર પણ આપવાનો વિશ્વાસઘાત કરી મોઢું ફેરવી ગયા હતા ! આવા ભ્રષ્ટ બની ગયેલા આશ્રમ ટ્રસ્ટમાંથી આ પ્રમુખ કારણે ત્યાગપત્ર પણ વિમલાતાઈએ ત્યારે અપાવ્યું.) આશ્રમ અધિષ્ઠાત્રી આત્માશા માતાજી તો આ પહેલાં જ, અમારા સારા યે પરિવારની અને આશ્રમકાર્ય – સપ્તભાષી કાર્ય, રેકોર્ડ નિર્માણ કાર્ય, વિદેશ પ્રભાવના યાત્રાઓની સતત સંભાળ રાખતા રાખતા ૧૯૯૨માં જ આત્મસમાધિપૂર્વક મહાપ્રયાણ કરી ગયા હતા. (પ્ર.જી.માં ત્યારે તેમના વિષયક લઘુ લેખ પણ છપાયો છે). આ સઘળાનો લાંબો ઈતિહાસ છે, જેનો સંક્ષેપ ‘સપ્તભાષી'ની અંતિમામાં અપાયો છે. અહીં આ દીર્ઘ બની રહેલા લેખનું સમાપન કરવાનું છે. આખરે પરમગુરુઓના અનુગ્રહથી જ સપ્તભાષી પ્રકાશ પામી. અનેક પ્રબુધ્ધજનોએ એને પ્રેમથી આવકારી. આ દરમિયાન હંપીમાં વિશ્વ વિદ્યાલય-નિર્માણનું વિરાટ વિશાળ કાર્ય તો ગુરુદેવ અને અગ્રજ આશ્રમ પ્રમુખ બંને આધારો ગયા પછી શી રીતે સંપન્ન થાય ? તેઓ બંને ગયા પછી, આશ્રમ અધિષ્ઠાત્રી પૂજ્ય માતાજીની ઉપસ્થિતિમાં ૧૯૮૬માં આશ્રમ ટ્રસ્ટના સંવિધાનમાં વિશ્વવિદ્યાલય-જિનાલય બંને અધૂરા કાર્યો સંપન્ન કરવાનો સાગ્રહ સમાવેશ અન્ય બે ટ્રસ્ટી બંધુઓ સાથે મેં કર્યો હતો. ક્યારેક એ સાકાર થશે જ, એવી શ્રદ્ધાથી. અત્યારે તો એવા વિદ્યા-સંસ્થાનની નાનકડી પૂર્વભૂમિકાશી ‘સહજાનંદ પીઠ’ના તતલો અને સાધક ગુફાઓમાં સમયે સમયે આયોજિત શિબિરો અને ધ્યાન સાધન બેઠકો રૂપે જ એ સીમિત છે. આ વર્ષો – લાંબી ઘટનાઓમાં માર્ચ ૧૯૭૮માં પૂજ્ય પંડિતશ્રી સુખલાલજીનું મહાપ્રયાણ, ૧૯૭૯માં જન્મદાત્રી ઉપકારક પૂજ્ય માતુશ્રીનું પ્રયાણ, ૧૯૮૮માં સપ્તભાષીમાં પણ જીવનસંગિની સુમિત્રા સાથે રહી સંપાદન-સહયોગ આપતી જ્યેષ્ઠા સુપુત્રી કુ. પારુલનું પણ માર્ગ-અકસ્માતમાં યુવાવયે અકાળે પ્રયાણ, પછી આશ્રમનાં ૨૧૦ રાજગાથા

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254