Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ -: યોગિક શારીરિક ક્રિયાઓ :વર્તમાન યુગના સંદર્ભમાં - વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કે જટિલમાં જટિલ જો કોઈ પણ યંત્ર હોય તો તે માનવ-શરીર છે. માનવ શરીરની રચના જ એ પ્રકારની છે કે તેને હંમેશાં સક્રિય અને વ્યવસ્થિત રાખવું અત્યંત જરૂરી છે. તેની પૂર્તિ યૌગિક ક્રિયાઓ કરે છે. શરીરની આ સક્રિયતા અને સ્વસ્થતા બરાબર રાખીને જ આપણે સાધનાના પરિણામોને પ્રાપ્ત કરી શકીએ. શરીરને સક્રિય અને વ્યવસ્થિત બનાવવાની દૃષ્ટિથી યૌગિક શારીરિક ક્રિયાઓ પ્રેક્ષા-પ્રવિધિનું મહત્ત્વપૂર્ણ અંગ છે. દેશ, કાળ અને સમાજની પરિસ્થિતિઓમાંથી પસાર થતા વ્યકિત માટે એ મુશ્કેલ બનતું જાય છે કે તે યોગાસન અને વ્યાયામ માટે વધારે સમય આપી શકે. કોઈક પાસે સમયનો અભાવ નથી હોતો તો તેને સ્થાનની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધતી જતી શહેરી સંસ્કૃતિએ મનુષ્યના જીવનને પ્રકૃતિથી દૂર ધકેલી દીધું છે. તેની પાસે શારીરિક શ્રમ કરવા માટે ખેતર નથી, કે નથી હરવા ફરવા માટે ખુલ્લા મેદાનો કે જયાં તે શુદ્ધ પ્રાણવાયુ પ્રાપ્ત કરી શકે અને શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે. તેને ગીચ ભરચક ભીડવાળા રસ્તાઓ વચ્ચેથી ચાલવું પડે છે. તેને નાના નાના ફ્લેટોમાં આખાય પરિવાર સાથે ખીચોખીચ રહેવું પડે છે. એથી ય વિશેષ આજે માણસ એટલું બધું અનિયમિત જીવન જીવવા માંડ્યો છે કે તેની ઈચ્છા હોવા છતાં પણ તે આજે યોગાસન, પ્રક્ષાધ્યાન કે તેવી બીજી અન્ય પ્રવિધિઓ માટે સમય કાઢી શકતો નથી. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66