Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ક્રિયાઓનો પ્રભાવ :શારીરિક, માનસિક પીડાઓથી ઘેરાયેલા કેટલાક લોકો આ અભ્યાસક્રમમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ તેમાં સાતત્ય જાળવવું તેમને માટે મુશ્કેલ બની જાય છે. સમયના અભાવના કારણે આસનોના લાભથી વંચિત ન રહેવું હોય તેમને માટે સૂક્ષ્મ ક્રિયાઓ જરૂરી છે. યૌગિક શારીરિક ક્રિયાઓ શરીર અને મન બંનેને સ્વસ્થ બનાવે છે. જે વ્યક્તિ શરીરની દૃષ્ટિથી રુષ્ણ, વૃધ્ધ અથવા અશક્ત છે તેને માટે પણ યૌગિક શારીરિક ક્રિયાઓ ઉપયોગી અને શકિત-સંવર્ધક છે. યૌગિક શારીરિક ક્રિયાઓથી આખાએ શરીરના સંધિ-સ્થળોમાં - સાંધાઓમાં લચક, અને કર્મજા શક્તિનો વિકાસ થાય છે, માંસપેશિઓમાં સ્કૃર્તિ તથા સ્નાયુ-સંસ્થાનમાં સક્રિયતા વધે છે, રક્તભ્રમણ સુવ્યવસ્થિત થવા માંડે છે. જેથી પ્રજ્ઞા પ્રકટ થવા માંડે છે. સ્વસ્થ ચિત્તમાં પ્રજ્ઞા પ્રકટ થાય છે. યૌગિક શારીરિક ક્રિયાઓની પ્રવિધિ : યૌગિક શારીરિક ક્રિયાની આ પ્રવિધિને પ્રાયોગિક રૂપ આપવામાં કોઈ વિશેષ સ્થાન તેમજ વ્યવસ્થાની અપેક્ષા નથી. ફકત સ્વચ્છ અને હવાદાર સ્થાન જરૂરી છે. આ સંપૂર્ણ પ્રયોગ એક સાથે કરવામાં લગભગ પંદર મિનિટ લાગે છે. સમયના અભાવમાં આ પ્રયોગને જુદા જુદા ભાગમાં વિભાજિત પણ કરી શકાય છે. આ અભ્યાસ મસ્તકથી લઈને પગ સુધી જુદા જુદા અવયવો પર ક્રમશ: થાય છે. ૧૨. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66