Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ દો. આખા શરીરને તાણમુક્તિનું સૂચન આપો અને શરીરમાં શિથિલતાનો ભાવ અનુભવો. શરીર શિથિલ રહે, પરંતુ ચૈતન્ય પ્રત્યે પૂરી રીતે જાગૃત રહે. ત્રણ-ચાર દીર્ઘ-શ્વાસ પછી કાયોત્સર્ગ પૂર્ણ કરો. લાભ - તાણ-મુક્તિ, માનસિક શાંતિ, જાગરૂકતાની પ્રાપ્તિ અને મમત્વનો પરિહાર થાય છે. સ્વભાવ સુધાર માટે મેરુદંડની ક્રિયાઓ શરીરમાં મેરુદંડ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અંગ છે. મેરુદંડનું લચીલાપણું સ્વસ્થતાનું લક્ષણ છે. સ્વસ્થ વ્યકિતનો મેરુદંડ સીધો અને લચકદાર હોય છે. મેરુદંડની પાસે ઈડા, પિંગલા વગેરે હજારો નાડીઓ હોય છે. મેરુદંડ મજબૂત હોય તો વ્યક્તિની ચેતનાને વિકસિત થવાનો મોકો મળે છે. મેરુદંડની લચક ફક્ત સ્વાથ્યને માટે જ વરદાનરૂપ નથી, પરંતુ તે સુંદર સ્વભાવ અને સાધનાની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. આ ક્રિયાઓ સરલ સહજ લાગે છે. સહજ લાગતી ક્રિયાઓ જ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે. મેરુદંડની સુઘડતાને ધ્યેયમાં રાખીને જ આ ક્રિયાઓની પસંદગી કરવામાં આવી છે. મેરુદંડની સ્વસ્થતા સ્મૃતિ, વિચાર, ચિંતન અને સ્વભાવને પ્રભાવિત કરે છે. સ્વભાવ, વિચાર અને ચિંતનમાં શુધ્ધિ લાવવાને માટે મેરુદંડની ક્રિયાઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. મેરુદંડના નીચેના છેડા પર શક્તિ કેન્દ્ર છે. અને માથાના સૌથી ઉંચા ભાગ પર (ચોટીના સ્થાન પર) જ્ઞાન કેન્દ્ર છે. શક્તિ અને જ્ઞાનના વિકાસ માટે મેરુદંડની સ્વસ્થતા - સક્રિયતા ખૂબ જ જરૂરી છે. ઈડા, પિંગલા અને સુષુમણામાં પ્રાણનો પ્રવાહ સરખી રીતે પ્રવાહિત થવા માંડે છે. પ્રાણનો પ્રવાહ બરાબર થવાથી વ્યક્તિત્વના વિકાસમાં જરૂરી સહયોગ મળે છે. ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66