Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 16
________________ सोलसमं पओगपर्य नेरइएसु-भवणवासिसु-एगिदिएसु-विंगलिदिएसु-पंचिंदियतिरिक्खेसु विभागेण पओगपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ તાત્પર્ય એ છે કે ૧ સત્યમનઃપ્રયોગવાળા, યાવતું ૮ અસત્યામૃષાવચનપ્રયોગવાળા, ૯ ઔદારિકશરીરકાયપ્રયોગવાળાં અને પછી ૧૦ ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય-એમ કહેવું. એ દસ પદો હમેશાં બહુવચન વડે અવસ્થિત છે. જો કે તિર્યંચ પંચેન્દ્રિયોનો ઉપપાતવિરહકાળ અન્તર્મુહૂર્તનો છે, તો પણ ઉપપાતવિરહકાળનું અન્તર્મુહૂર્ત નાનું છે, ઔદારિકમિશ્રનું અન્તર્મુહૂર્ત ઘણું મોટું છે, માટે અહીં પણ ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા સદા હોય છે. જે બાર મુહૂર્તનો ઉપપાતવિરહકાળ કહ્યો છે તે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને આશ્રયી સમજવો, પણ સામાન્ય તિર્યંચોની અપેક્ષાએ ન જાણવો. કાર્મણશરીરકાયપ્રયોગવાળો તો તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ કદાચિત્ એક પણ ન હોય, કારણ કે તેઓનો ઉપપાતવિરહકાળ અન્તર્મુહૂર્તનો છે. તેથી જ્યારે એક પણ કાર્મણશરીરી ન હોય ત્યારે પ્રથમ ભંગ, જ્યારે એક હોય ત્યારે બીજો ભંગ, અને જ્યારે ઘણા હોય ત્યારે ત્રીજો ભંગ હોય છે. મનુષ્યોમાં ચાર મનના, ચાર વચનના, ઔદારિક અને વૈક્રિયદ્ધિકરૂપ અગિયાર પદો હમેશાં બહુવચનયુક્ત હોય છે. (પ્ર)–વૈક્રિયમિશ્રશરીરવાળા હમેશાં કેમ હોય? (ઉ0)–વિદ્યાધરની અપેક્ષાએ હોય છે. જેમકે–વિદ્યાધરો અને તે સિવાય બીજા કેટલાએક મિથ્યાદષ્ટિ વગેરે વૈક્રિયલબ્ધિવાળા અન્ય અન્ય અભિપ્રાય વડે હમેશાં વિદુર્વણા કરતા હોય છે. આ સંબધે મૂલટીકાકાર કહે છે–“મનુષ્ય વૈશ્વિયમિશ્રશારીરપ્રયોગઃ, સેવ વિદ્યાથરીનાં વિર્વાભાવાત્'' ઇતિ–મનુષ્યો વૈક્રિયમિશ્રશરીરપ્રયોગવાળા હોય છે, કારણ કે વિદ્યાધરાદિને હમેશાં વિદુર્વણા હોય છે. ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કાર્યણશરીરકાયપ્રયોગવાળા કદાચિત્ સર્વથા હોતા નથી, કારણ કે તેઓને બાર મુહૂર્તનો ઉપપાતવિરહકાળ હોય છે. આહારકશરીરવાળા અને આહારકમિશ્રશરીરવાળા કદાચિત્ હોય છે-એ પૂર્વે કહ્યું છે. તેથી ઔદ્રારિકમિશ્રાદિના અભાવમાં અગિયાર પદના બહુવચનરૂપ એક ભાંગો થાય છે. ત્યાર પછી ઔદારિકમિશ્રપદને આશ્રયી એકવચન અને બહુવચન વડે બે ભાંગા, એ પ્રમાણે આહારકપદ વડે બે ભાંગા, આહારકમિશ્રપદ વડે બે ભાંગા અને કાશ્મણપદ વડે બે ભાંગા-એમ એક એક સંયોગવડે આઠ ભાંગા થાય છે. ક્રિકસંયોગમાં પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે ઔદારિકમિશ્ર અને આહારકપદના ચાર ભાંગા, એ પ્રમાણે જ ઔદારિકમિશ્ર અને આહારકમિશ્રપદના ચાર ભાગા, ઔદારિકમિશ્ર અને કાર્મણના ચાર ભાંગા, આહારક અને આહારકમિશ્રના ચાર ભાંગા, આહારક અને કાશ્મણના ચાર ભાંગા, આહારકમિશ્ર અને કાર્મણના ચાર ભાંગાએમ બધા મળી કિકસંયોગમાં ચોવીશ ભાંગા થાય છે. ત્રિકસંયોગમાં ઔદારિકમિશ્ર, આહારક અને આહારકમિશ્રપદના એકવચન અને બહુવચન વડે આઠ ભાંગા થાય છે. ઔદારિકમિશ્ર, આહારક અને કાર્મણના આઠ ભાંગા, ઔદારિકમિશ્ર, આહારકમિશ્ર અને કાર્મણના આઠ ભાંગા, અને આહારક, આહારકમિશ્ર અને કાર્મણના આઠ ભાંગા-એમ બધા મળી ત્રિકસંયોગી બત્રીશ ભાંગા થાય છે. ઔદારિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ-એ ચાર પદોના એકવચન અને બહુવચન વડે સોળ ભાંગા થાય છે. અને સર્વ મળીને એશી ભાંગા થાય છે. I૪૪૬૩. || મધુર રસુવિમાગેf gોગવવUT IT. मणूसाणं भंते! किं सच्चमणप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी? गोयमा! मणूसा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि, जाव ओरालियसरीरकायप्पओगी वि,वेउब्वियसरीरकायप्पओगी वि,वेउव्वियमीससरीरकायप्पओगी वि,१ अहवेगे यओरालियमीसासरीरकायप्पओगीय,२ अहवेगे यओरालियमीसासरीरकायप्पओगिणो य, ३ अहवेगे य आहारगसरीरकायप्पओगी य, ४ अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य, ५ अहवेगे य आहारगमीसासरीरकायप्पओगी य, ६ अहवेगे य आहारगमीसासरीरकायप्पओगिणो य, ७ अहवेगे य कम्मगसरीरकायप्पओगी य, ८ अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य, एते अट्ठ भंगा पत्तेयं। अहवेगे य ओरालियमीससरीरकायप्पओगी य आहारगसरीरकायप्पओगी य १, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य आहारगसरीरकायप्पओगिणो य २, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 404