Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 47
________________ क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ॥३५॥ : અર્થ : આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે ? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે ! : વિવેચન : ક્રોધ એક દુર્જેય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે ! સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે ! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધસુભટને પરાજિત કરી શકે છે. ગ્રંથકારે અહીં ક્ષમાને ‘સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખૂલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ ‘સ્ત્રી' હોય છે. યોગી-મુનિઋષિઓની નબળાઈ ‘સ્ત્રી' હોય છે ! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ ‘ક્ષમા-સ્ત્રી' બતાવી છે ! તાત્પર્યાર્થ આ છે ઃ ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલા વ્રત-નિયમ પાળો... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છેयाको मासे सम-वधू क्षमा सहज में जोर, क्रोध - योध क्युं कर सके, सो अपनो बल सोर મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,' આવો તમારો દ્દઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે ‘ક્ષમા’ ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો. તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે ! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે ! 參 ૩૬ શામ્યશતક

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130