Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 63
________________ समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥५१॥ : અર્થ : એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર ર્દયી સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. .: વિવેચન : લૌકિક શાસ્ત્રમાં એવી કથા છે કે અગસ્તિ નામના મુનિએ સમુદ્રનું પાન કરીને શોષણ કર્યું હતું ! આકાશમાં અગસ્તિનો તારો ઉગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે. તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો. જેવી રીતે અગસ્તિનો તારો જળાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષ-અગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે ! સંતોષ, ભડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે. સંતોષને દયમાં સ્થિર કરો. કયારે પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અગસ્તિમુનિને દ્ધયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો ! દયના આકાશે સંતોષના અગસ્તિના તારાને ચમકવા દો. હદયના આશયોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે. તમારા પુણ્યોદયથી મળેલા સુખના સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢીયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની કયારેય ઈચ્છા ના કરો. તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ કરવાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુને વધુ મેળવવાના મનોરથ કરતા રહો. ઓછામાં ઓછા સુખનાં સાધનોમાં સંતોષ-તૃતિ મેળવો. * પર GAAAAAAAAGGA શાશતક

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130