Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 100
________________ स्फुरत्तृष्णालताग्रंथि-विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ॥८॥ : અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથીઓ સ્કૂરાયમાન થાય છે, વિષયોરૂપ આવતથી તે દુસ્તર છે અને ફ્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. : વિવેચન : આ સંસાર એક મહાસાગર છે. આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણાલતાઓ વીંટળાઈ જાય છે. એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. બહુ ખતરનાક હોય છે આ વિષયાવ. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ મહાસાગરમાં ફ્લેશોના તરંગો નિરંતર ઉછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને ! માટે આ ભવસાગર દુત્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઉછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવો કંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! . ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - तिसना विदुम वल्लिघन, विषय घुमर बहु जोर, भीम भयंकर खेद जल,, भवसागर चिहुं ओर. (વિષય-ઘુમર' એટલે વિષયાવ. ભીમ ભયંકર ખેદ જલએટલે લેશોના ભયંકર તરંગો. ‘તિસના' એટલે તૃષ્ણા.) શાખ્યશતક (GSWAMINARARARARA ૮૯

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130